Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર ટેમ્‍પોચાલકે મોપેડ સવારને મારેલી ટક્કર

મોપેડચાલક સંદિપકુમાર પ્રજાપતિનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ પર સ્‍વામિનારાયણ મંદિર નજીક પુરઝડપે હંકારી રહેલ ટેમ્‍પોચાલકે એક મોપેડ સવારને જોરદાર ટક્કર મારતા મોપેડ અને તેનો ચાલક ટેમ્‍પાના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્‍થળ ઉપર જ મોત કમકમાટીભર્યું મોત થતાં ચકચાર ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંદિપકુમાર રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.29) રહેવાસી નરોલી, જે નોકરી પરથી છુટી પોતાના ઘર તરફ મોપેડ નંબર ડીડી-01 બી-8760 પર જઈ રહ્યા હતા. તે સમયે ટેમ્‍પો નંબર જીજે-15 એક્‍સએક્‍સ-1977ના ચાલકે મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારતામોપેડચાલકનું બેલેન્‍સ બગડી ગયું હતું અને સીધા ટેમ્‍પોના ટાયરમાં એનું માથું આવી ગયું હતું. ટેમ્‍પોચાલક ટેમ્‍પો લઈને ફરાર થવાની કોશિશ કરતા રીંગરોડ નજીકથી ટ્રાફિક પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. જ્‍યારે મોપેડચાલક સંદિપકુમાર રમેશભાઈ પ્રજાપતિનું ઘટના સ્‍થળ ઉપર જ મોત થતાં સમગ્ર વિસ્‍તારમાં એરરાટી ફેલાઈ જવા પામી હતી.
અકસ્‍માત સર્જનાર ટેમ્‍પાનો પોલીસે કબ્‍જો લઈ અને ટેમ્‍પોચાલકને પકડી સેલવાસ પોલીસ સ્‍ટેશન ખાતે લઈ જવામાં આવ્‍યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ જગ્‍યા પર વારંવાર અકસ્‍માતની ઘટના બની રહી છે અને ટ્રાફિક જામની સમસ્‍યા પણ ઉદ્‌ભવતી રહે છે. જે સંદર્ભે વિવિધ સંસ્‍થાઓ દ્વારા આ જગ્‍યા પર સ્‍પીડબ્રેકર બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રશાસન દ્વારા આ તરફ ધ્‍યાન આપવામાં આવતુ નથી. જેના કારણે કેટલાયે લોકોના જીવો જઈ રહ્યા છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

Leave a Comment