April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: મળેલ માહિતી મુજબ સેલવાસના યાત્રી નિવાસ નજીકથી પસાર થતા નાળામાંથી એક યુવાનની લાશ પડેલ હોવાની જાણકારી સેલવાસ પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને લાશને નાળામાંથી બહાર કાઢયા બાદ તપાસ કરતા ત્રણ દિવસ પહેલા બાલાજી ટાઉનશીપમાંથી ગુમ થયેલ યુવાનની હોવાનું જાણવા મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર યાત્રિનિવાસ પાસેથી પસાર થતા નાળામાંથી એક વ્‍યક્‍તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને યુવકની લાશને નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી આવી હતી. અજાણ્‍યા વ્‍યક્‍તિની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃત વ્‍યક્‍તિની ઓળખ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળીગયેલ હોવાનું નામે દુર્ગા પ્રસાદ જે સેલવાસ ખાતે આવેલ બાલાજી ટાઉનશિપમાં રહેતો હતો અને માનસિક રીતે અસ્‍થિર હતો. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સેલવાસ પોલીસ મથકે નોંધાઈ હતી.
પી.એમ. રિપોર્ટ અનુસાર અસ્‍થિર મગજના યુવકનું મોત પાણીમાં ડૂબવાના કારણે થયું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

Leave a Comment