June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: મળેલ માહિતી મુજબ સેલવાસના યાત્રી નિવાસ નજીકથી પસાર થતા નાળામાંથી એક યુવાનની લાશ પડેલ હોવાની જાણકારી સેલવાસ પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને લાશને નાળામાંથી બહાર કાઢયા બાદ તપાસ કરતા ત્રણ દિવસ પહેલા બાલાજી ટાઉનશીપમાંથી ગુમ થયેલ યુવાનની હોવાનું જાણવા મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર યાત્રિનિવાસ પાસેથી પસાર થતા નાળામાંથી એક વ્‍યક્‍તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને યુવકની લાશને નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી આવી હતી. અજાણ્‍યા વ્‍યક્‍તિની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃત વ્‍યક્‍તિની ઓળખ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળીગયેલ હોવાનું નામે દુર્ગા પ્રસાદ જે સેલવાસ ખાતે આવેલ બાલાજી ટાઉનશિપમાં રહેતો હતો અને માનસિક રીતે અસ્‍થિર હતો. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સેલવાસ પોલીસ મથકે નોંધાઈ હતી.
પી.એમ. રિપોર્ટ અનુસાર અસ્‍થિર મગજના યુવકનું મોત પાણીમાં ડૂબવાના કારણે થયું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા દેવકા ઈકોપાર્ક ખાતે 69મા ‘વન્‍યજીવ સપ્તાહ-2023’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment