April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍યના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા આગામી તા.12 મી ફેબ્રુઆરી, 2023 ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે વલસાડ જિલ્‍લાના વાપી શહેરના ગુંજન સર્કલ ખાતેના કડિયાનાકા ખાતેથી રૂા.પ/- માં સાત્‍વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ શુભારંભ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આ યોજના 6 કડિયાનાકા ખાતેથી શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં વલસાડ શહેરમાં ર્ડા.મોંધાભાઈ દેસાઈ હોલની સામે, ધરમપુર નગરમાં હાથીખાના, વાપી શહેરમાં ઝંડાચોક, ભડકમોરા, જી.આઈ.ડી.સી. વાપી અને પારડી શહેરના બસ સ્‍ટેન્‍ડ ખાતે આ યોજનાનો બાંધકામ શ્રમિકોને લાભ મળશે.
આ યોજનામાં ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા ઈ- નિમાર્ણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેબાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિમાર્ણ કાર્ડ લઈ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્‍દ્ર પર જઈ કાર્ડમાં દર્શાવેલ ઈ-નિમાર્ણ નંબર અથવા ક્‍યુ.આર. કોડ સ્‍કેન કરાવી ભોજન વિતરણ કેન્‍દ્ર પરથી રૂા.5/- ના ટોકન મારફત તેને અને તેના પરિવારને રૂા.5/- માં સાત્‍વિક ભોજન મળી શકશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

દમણમાં રહેતી 12 વર્ષિય બાળાને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે કરેલી ધરપકડ આઈપીસીની 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 મુજબ નોંધેલો ગુનો

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ધરમપુરના આવધા સાકાર વાંચન કુટીર ખાતે ધો. 10 અને 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment