Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍યના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા આગામી તા.12 મી ફેબ્રુઆરી, 2023 ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે વલસાડ જિલ્‍લાના વાપી શહેરના ગુંજન સર્કલ ખાતેના કડિયાનાકા ખાતેથી રૂા.પ/- માં સાત્‍વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ શુભારંભ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આ યોજના 6 કડિયાનાકા ખાતેથી શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં વલસાડ શહેરમાં ર્ડા.મોંધાભાઈ દેસાઈ હોલની સામે, ધરમપુર નગરમાં હાથીખાના, વાપી શહેરમાં ઝંડાચોક, ભડકમોરા, જી.આઈ.ડી.સી. વાપી અને પારડી શહેરના બસ સ્‍ટેન્‍ડ ખાતે આ યોજનાનો બાંધકામ શ્રમિકોને લાભ મળશે.
આ યોજનામાં ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા ઈ- નિમાર્ણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેબાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિમાર્ણ કાર્ડ લઈ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્‍દ્ર પર જઈ કાર્ડમાં દર્શાવેલ ઈ-નિમાર્ણ નંબર અથવા ક્‍યુ.આર. કોડ સ્‍કેન કરાવી ભોજન વિતરણ કેન્‍દ્ર પરથી રૂા.5/- ના ટોકન મારફત તેને અને તેના પરિવારને રૂા.5/- માં સાત્‍વિક ભોજન મળી શકશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે.

Related posts

વાપી ટુકવાડા અવધ ઉથોપિયા બંગલામાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment