March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચાસા – મજીગામ માઈનોર કેનાલમાં અખબારી અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા કડકાઈ દાખવતા કામની ગુણવત્તામાં સુધારો થવા સાથે પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે.


અંબિકા સબ ડિવિઝન ચીખલી દ્વારા તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે ચાસા અને મજીગામ સબ માઈનોર કેનાલની સપાટીને કોંક્રિટની પાકી બનાવવાનું કામ હાથ ધરાયું હતું. આ દરમિયાન કામની ગુણવતા સામે સવાલો ઉભા થતા તે અંગેના અખબારી અહેવાલ બાદ નાયબ કાર્ય પાલક ઈજનેર જીજ્ઞેશભાઈ સહિતના સ્‍ટાફ દ્વારા કામના સ્‍થળની મુલાકાત વધારી દઈ કામની ગુણવતામાં સુધારો કરવા એજન્‍સીને સુચના આપી પૂરતી તકેદારી રાખવામાં આવતાં કામની ગુણવત્તામાં સુધારો થવા પામ્‍યો હતો. આ દરમિયાન સિંચાઈવિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા પાણીનો વેડફાટ અટકવા સાથે છેવાડાના વિસ્‍તારના ખેતરોમાં પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી સાથે ખેડૂતોને તેમના પાકોમાં મોટી રાહત થવા પામી છે.
સરકાર દ્વારા આ રીતે તબક્કાવાર નહેરોની સપાટીને પાકી બનાવતા ખેડૂતોને મોટો લાભ થઈ રહ્યો છે .
ચીખલીમાં અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓની સતર્કતાને પગલે નહેરના ગુણવત્તા યુક્‍ત કામોથી આગામી દિવસોમાં પણ ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્‍કેલી દૂર થશે તેમ લાગી રહ્યું છે. વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા દર પંદર દિવસના રોટેશન મુજબ નિયમિતપણે પાણી છોડવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Related posts

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

Leave a Comment