August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચાસા – મજીગામ માઈનોર કેનાલમાં અખબારી અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા કડકાઈ દાખવતા કામની ગુણવત્તામાં સુધારો થવા સાથે પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે.


અંબિકા સબ ડિવિઝન ચીખલી દ્વારા તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે ચાસા અને મજીગામ સબ માઈનોર કેનાલની સપાટીને કોંક્રિટની પાકી બનાવવાનું કામ હાથ ધરાયું હતું. આ દરમિયાન કામની ગુણવતા સામે સવાલો ઉભા થતા તે અંગેના અખબારી અહેવાલ બાદ નાયબ કાર્ય પાલક ઈજનેર જીજ્ઞેશભાઈ સહિતના સ્‍ટાફ દ્વારા કામના સ્‍થળની મુલાકાત વધારી દઈ કામની ગુણવતામાં સુધારો કરવા એજન્‍સીને સુચના આપી પૂરતી તકેદારી રાખવામાં આવતાં કામની ગુણવત્તામાં સુધારો થવા પામ્‍યો હતો. આ દરમિયાન સિંચાઈવિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા પાણીનો વેડફાટ અટકવા સાથે છેવાડાના વિસ્‍તારના ખેતરોમાં પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી સાથે ખેડૂતોને તેમના પાકોમાં મોટી રાહત થવા પામી છે.
સરકાર દ્વારા આ રીતે તબક્કાવાર નહેરોની સપાટીને પાકી બનાવતા ખેડૂતોને મોટો લાભ થઈ રહ્યો છે .
ચીખલીમાં અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓની સતર્કતાને પગલે નહેરના ગુણવત્તા યુક્‍ત કામોથી આગામી દિવસોમાં પણ ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્‍કેલી દૂર થશે તેમ લાગી રહ્યું છે. વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા દર પંદર દિવસના રોટેશન મુજબ નિયમિતપણે પાણી છોડવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Related posts

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

Leave a Comment