June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

જિલ્લામાં રૂા.14.40 કરોડના કુલ 421 કામો હાથ ધરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડના પારડી તાલુકાના ડુંગરી તળાવ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે તા.19-02-2023ના રોજ સવારે 11-00 વાગ્‍યે ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ અંતર્ગત વલસાડ જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુનઃ જીવિત કરવાના રૂા.14.40 કરોડના કુલ 421 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં રૂા.4.40 કરોડના 71 કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂા.20.55 કરોડના 186, ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.6.88 કરોડના 126, વન વિભાગ ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.10 કરોડના 33 અને નગરપાલિકા ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.5.46 લાખના 5 કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રીડૉ.કે.સી.પટેલ, કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર અને ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

Related posts

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

Leave a Comment