November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

જિલ્લામાં રૂા.14.40 કરોડના કુલ 421 કામો હાથ ધરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડના પારડી તાલુકાના ડુંગરી તળાવ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે તા.19-02-2023ના રોજ સવારે 11-00 વાગ્‍યે ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ અંતર્ગત વલસાડ જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુનઃ જીવિત કરવાના રૂા.14.40 કરોડના કુલ 421 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં રૂા.4.40 કરોડના 71 કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂા.20.55 કરોડના 186, ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.6.88 કરોડના 126, વન વિભાગ ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.10 કરોડના 33 અને નગરપાલિકા ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.5.46 લાખના 5 કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રીડૉ.કે.સી.પટેલ, કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર અને ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

Related posts

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment