April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

જિલ્લામાં રૂા.14.40 કરોડના કુલ 421 કામો હાથ ધરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડના પારડી તાલુકાના ડુંગરી તળાવ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે તા.19-02-2023ના રોજ સવારે 11-00 વાગ્‍યે ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ અંતર્ગત વલસાડ જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુનઃ જીવિત કરવાના રૂા.14.40 કરોડના કુલ 421 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં રૂા.4.40 કરોડના 71 કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂા.20.55 કરોડના 186, ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.6.88 કરોડના 126, વન વિભાગ ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.10 કરોડના 33 અને નગરપાલિકા ડિપાર્ટમેન્‍ટલ કામગીરી હેઠળ રૂા.5.46 લાખના 5 કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રીડૉ.કે.સી.પટેલ, કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર અને ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

Related posts

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

Leave a Comment