March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

દાનહ પોલીસ, આઈ.આર.બી. મળી કુલ 1700 જેટલા જવાનોની ઉતારવામાં આવેલી ફૌજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાનહ લોકસભા સીટની પેટાચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે તેની તૈયારી સંદર્ભે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ વિભાગની પેરામિલ્‍ટ્રી ફોર્સની 10 કંપનીઓ મુકવામા આવી છે.જેમા બીએસએફ, આઇટીબીપી, સીઆરપીએફ જેવી કેન્‍દ્રીય કંપનીઓ સાથે ગુજરાત પોલીસ, દમણ પોલીસ, દાનહ પોલીસ, ઈન્‍ડિયન રિઝર્વ બટાલિયન મળી કુલ 1700 જવાનોને ફરજ પર મુકવામા આવ્‍યા છે.
આ સાથે પ્રશાસન દ્વારા પણ મતદાન માટે 333 પોલિંગ બુથમાંથી 9 પોલિંગ બુથને સંવેદનશીલ ઘોષિત કરવામા આવ્‍યા છે અને 1500 કર્મચારીઓને ચૂંટણીફરજ પર મુકવામા આવ્‍યા છે. 200 કર્મચારીઓને રિઝર્વ રાખવામા આવ્‍યા છે.
દાનહમાં કુલ 258838 મતદારો છે જેમાં પુરુષ 136429 અને મહિલા 122409 મતદારો છે. જેઓ ચૂંટણી મેદાનમાં ઉભેલા ઉમેદવારોનું ભવિષ્‍ય નક્કી કરશે. પ્રદેશમાં હાલમાં ચાર પક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મહેશભાઈ ચીમનભાઈ ગાવિત, શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઇ ડેલકર, કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ બાલુભાઈ ધોડી, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર શ્રી ગણેશભાઈ ભુજાદા છે.
આ ચાર પાર્ટીઓમાં મુખ્‍ય ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્‍ચે સીધી લડાઈ રહેશે એની સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પણ સારા એવા મત લઈ જવાની ધારણા છે. જેના કારણે બેમાંથી કોઈ એક પાર્ટીને નુકસાન કરી શકે એમ છે. દરેક પાર્ટી પોતપોતાની રીતે જીતના દાવા કરી રહી છે. તા.30મી ઓક્‍ટોબરના રોજ ચૂંટણી બાદ 2જી નવેમ્‍બરના દિવસે મત ગણતરીના દિવસે મત પેટીઓ ખુલશે ત્‍યારે જ કોણ જીતશે કોણ હારશે તે જાણી શકાશે.

Related posts

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્‍વી તારલાઓનું બહુમાન કરાયું

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

Leave a Comment