June 13, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13
કોરોના સંક્રમણના કાળના બે વર્ષ બાદ પહેલી વખત સુપ્રિમ કોર્ટના નિર્દેશ ઉપર 1રમી માર્ચના રોજ દેશ વ્‍યાપી રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ-દીવમાં પણ સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં 634 કેસોની સુનાવણી થઈ હતી. જે પૈકી 36 કેસોમાં સમાધાન થયું હતું. સમાધાન થયેલા કેસોમાં પ્રિલીટીગેશનના 14 અને 20 વિલંબના કેસો સામેલ છે. આ લોકઅદાલતમાં કુલ 1 કરોડ 49 લાખ 69 હજાર 360 રૂપિયાનુંસેટલમેન્‍ટ થયુ હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દમણ-દીવમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ અને સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના ચેરપર્સન શ્રી પી.કે.શર્માની અધ્‍યક્ષતામાં ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ સિનિયર ડિવીઝન શ્રી અમિત પી.કોકાટે અને જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ શ્રી જે.જે.ઈનામદારના નેતૃત્‍વમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દીવમાં વિદ્વાન ન્‍યાયાધીશ શ્રી મહેશ પી.શ્રોફની અધ્‍યક્ષતામાં લોક અદાલત યોજાઈ હતી. રાષ્‍ટ્રીય લોક અદાલતમાં વાહન અકસ્‍માત, વળતર કેસ, શ્રમિક વિવાદ, બેંક લોન, રેવન્‍યુ, નોકરી, બાળક અને પત્‍નીના ભરણપોષણ વિવાદ, છુટાછેડા, જમીન સંપાદનના વળતર સંબંધિત કેસો, વિદ્યુત, પાણી બિલના કેસો તથા ચેક બાઉન્‍સ જેવા કેસોનું અરસ-પરસની સમજુતી અને સુલેહના આધારે સમાધાન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રી પી.કે.શર્માએ જણાવ્‍યું હતું કે, ગરીબ અને કમજોર લોકોને લોક અદાલતના માધ્‍યમથી ઝડપથી ન્‍યાય મળે છે. રાષ્‍ટ્રીય લોક અદાલતના માધ્‍યમથી કેસોનું નિરાકરણ પણ પ્રભાવશાળી રીતે થાય છે. જેમાં કોઈની જીત પણ નથી અને કોઈ હારતુ પણ નથી. સમયની સાથે સાથે ધનની પણ બચત થાય છે. દરમિયાન લાભાન્‍વિતોને ચેકનું પણ વિતરણ કરાયું હતું. જિલ્લા બાર એસોસિએશન અનેપેનલના વકીલોનો આભાર પણ પ્રગટ કરાયો હતો.
સંઘપ્રદેશમાં આયોજીત લોક અદાલતની સુનાવણીમાં 634 કેસોને સૂચીબદ્ધ કરાયા હતા. કેસની સુનાવણી દરમિયાન 34નું સમાધાન થયું હતું. વિદ્વાન ન્‍યાયાધીશોએ 1 કરોડ, 49 લાખ, 69 હજાર 360 રૂપિયાનું સેટલમેન્‍ટ કરાવ્‍યું હતું.

Related posts

ગાંધીનગર અને નવસારી ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની ટીમે ચીખલીના કાંગવઈથી શંકાસ્‍પદ આયુર્વેદિક દવાનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

Leave a Comment