Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: વાપીની લીફ ધ વે ગ્રો સ્‍કૂલમાં આજે બાળકો માટે વેશભૂષા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની બે ઢીંગલીઓએ માઁ પાર્વતી અને માઁ કાલીની વેશભૂષામાં સજ્જ બની તમામ ઉપસ્‍થિતોનું ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું હતું. વાપીની લીફ ધ વે ગ્રો સ્‍કૂલમાં યોજાયેલ વેશભૂષા સ્‍પર્ધામાં માઁ પાર્વતીની વેશભૂષામાં અસ્‍સલ ભૂમિકા દમણની બાળકી સ્‍મીરા જીજ્ઞેશ પટેલે ભજવી હતી. સ્‍પર્ધામાં વેશભૂષાની સાજ-સજ્‍જા બાળકીની માતા શ્રીમતી હિતાક્ષીબેન જીજ્ઞેશ પટેલે આકર્ષક રીતે કરી હતી.
દમણની બીજી બાળકી થિયા નવિન પટેલે મહાકાળીની વેશભૂષામાં રૌદ્ર સ્‍વરૂપનો વાસ્‍તવિક અભિનય કરતા ઉપસ્‍થિત સભાખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો. વેશભૂષાની સાજ-સજ્‍જા કુ. થિયા પટેલની માતા શ્રીમતી પિન્‍કીબેન નવિન પટેલે કરી હતી.

Related posts

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment