Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નાતાલના તહેવાર અંગે મળી શાંતિ સમિતિની બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: તારીખ 25-12-2023 ના રોજ આવી રહેલ ખ્રિસ્‍તીઓના નાતાલના તહેવારને અનુલક્ષીને પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં પારડી સહિત સુખેશ ચીવલ વિગેરે જગ્‍યાએથી ખ્રિસ્‍તી ભાઈઓ તથા પારડી નગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. પી.આઈ. બી.જે. સરવૈયાએ ખ્રિસ્‍તી ભાઈઓ પાસેથી તેઓ દ્વારા ઉજવી રહેલ નાતાલના તહેવાર અંગેની માહિતી અને કાર્યક્રમની રૂપરેખા જાણી હતી અને કોઈ દ્વારા હેરાનગતિ કે દખલગીરી કરવામાં આવતી હોય તો જણાવવા કહ્યું હતું અને સૌને પોતાનો મોબાઈલ નંબર આપી આવો કોઈક બનાવ બને તો તાત્‍કાલિક પોલીસને જાણ કરવા સૂચન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત દરેક ચર્ચના પાદરીઓ અને ખ્રિસ્‍તી ભાઈઓને પાસે તેમના પ્રતિભાવો જાણી શાંતિપૂર્ણ મહોલમાં નાતાલની ઉજવણી કરવાનું જણાવ્‍યું હતું.
આજની આ નાતાલના તહેવાર અંગેની શાંતિ સમિતિનીબેઠકમાં શરદભાઈ દેસાઈ, અનવરભાઈ મનિયાર, ચાર્લીસ ભંડારી, રેવ. જોઈલ જસ્‍ટિન, રેવ. સુરેશ મેકવાન, સુરેશ ખ્રિસ્‍તી, વિકટમ ખ્રિસ્‍તી, નાયમિક નાયકા, વેનેશ ભંડારી જેવા આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah

Leave a Comment