April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.27: ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ અને માહ્યાવંશી સમાજ ઉન્નતિ મંડળ મરોલીના સંયુક્‍ત સાહસથી મરોલી એકતા મિત્ર મંડળ હોલમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં માહ્યાવંશી સમાજના યુવાનો અને બહેનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ 75 યુનિટ રક્‍ત એકત્રિત કરી શિબિરને સફળ બનાવ્‍યો હતો. આ શિબિરમાં મહિલાઓએ પણ રક્‍તદાન કરી સમાજના યુવાનો અને આયોજકોને પ્રોત્‍સાહન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમરગામ તાલુકા સેવા ટ્રસ્‍ટ આગેવાનો શ્રી યોગેશભાઈ મારકર, શ્રી રાકેશભાઈ હજારે, શ્રી રજનીકાંતભાઈ માંડેવાલા, મરોલી પંચાયતના સરપંચ શ્રીમતી લતાબેન મરોલીકર તેમજ માહ્યાવંશી સમાજ ઉન્નતી મંડળ અને મરોલી એકતા મંડળના સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ શિબિરમાં જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી જીગ્નેશભાઈ મરોલીકરે રક્‍તદાન કરી યુવાનોને પ્રોત્‍સાહિત કર્યા હતા. રક્‍તદાન શિબિરમાં વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના કર્મચારીઓએ સેવા આપી હતી.

Related posts

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

Leave a Comment