Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.03
સરીગામ પંચાયત હદમાં નિર્માણ થયેલ ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે લાંબા સમયથી રસ્‍તાની બાબતે ચાલતો વિવાદ ફરી નિર્ણય માટે મામલતદાર કચેરીમાં પહોંચ્‍યો છે. ભીલાડ લઘુ ઉદ્યોગના પાછળના ભાગે મુલચંદ લખમશી નાગડાની સર્વે નંબર 437/બની જમીન આવેલી છે. આ જમીન ખરીદના પ્રારંભ કાળથી વિવાદનું સર્જન થયેલું છે. જેમાં રસ્‍તા બાબતે ચાલતા વિવાદમાં ઉમરગામ મામલતદારે 2008ની સાલમાં રસ્‍તો ખુલ્લો કરી આપવા હુકમ કરેલાનું જાણવા મળી રહ્યું છે. ત્‍યારબાદ પ્રાંત કચેરી ખાતે પણ 2009ની સાલમાં મામલતદારના હુકમને યથાવત રાખવા ઓર્ડર કરેલ હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્‍યું છે.
હાલમાં આ જમીન ઉપર અવર-જવર બંધ કરવા માટે પાકી દિવાલનું બાંધકામ કરતા ફરિયાદીએ ન્‍યાય માટે ઉમરગામ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે. હવે આ બાબતે આવતીકાલે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની ઉપસ્‍થિતિ વચ્‍ચે રજૂઆત સાંભળવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment