October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.03
સરીગામ પંચાયત હદમાં નિર્માણ થયેલ ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે લાંબા સમયથી રસ્‍તાની બાબતે ચાલતો વિવાદ ફરી નિર્ણય માટે મામલતદાર કચેરીમાં પહોંચ્‍યો છે. ભીલાડ લઘુ ઉદ્યોગના પાછળના ભાગે મુલચંદ લખમશી નાગડાની સર્વે નંબર 437/બની જમીન આવેલી છે. આ જમીન ખરીદના પ્રારંભ કાળથી વિવાદનું સર્જન થયેલું છે. જેમાં રસ્‍તા બાબતે ચાલતા વિવાદમાં ઉમરગામ મામલતદારે 2008ની સાલમાં રસ્‍તો ખુલ્લો કરી આપવા હુકમ કરેલાનું જાણવા મળી રહ્યું છે. ત્‍યારબાદ પ્રાંત કચેરી ખાતે પણ 2009ની સાલમાં મામલતદારના હુકમને યથાવત રાખવા ઓર્ડર કરેલ હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્‍યું છે.
હાલમાં આ જમીન ઉપર અવર-જવર બંધ કરવા માટે પાકી દિવાલનું બાંધકામ કરતા ફરિયાદીએ ન્‍યાય માટે ઉમરગામ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે. હવે આ બાબતે આવતીકાલે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની ઉપસ્‍થિતિ વચ્‍ચે રજૂઆત સાંભળવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

Related posts

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment