March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.08 : આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આરંભ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી કરાવશે. આવતી કાલે સવારે 10:30 કલાકે આયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાન 15મી ઓગસ્‍ટ સુધી નિરંતર ચાલુ રહેશે.
આવતી કાલે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમના પરિસરમાં મર્ચન્‍ડાઈઝ સ્‍ટોલમાં તિરંગાથી જોડાયેલા વિવિધ ઉત્‍પાદનો જેવા કે ઝંડા, બેઈઝ અને અન્‍ય સ્‍મૃતિચિહ્ન ઉપલબ્‍ધ કરાશે. જેને ખરીદીને લોકો આ અભિયાનનો હિસ્‍સો બની શકે છે.
સિલવન દીદી/એસએચજી સ્‍ટોલ્‍સમાં સ્‍વયં સહાયતા સમૂહ અને સ્‍થાનિય કારીગરો દ્વારા સંચાલિત હાથ બનાવટના ઉત્‍પાદનો, પારંપારિક વષા અને હસ્‍તશિલ્‍પ પ્રદર્શિત કરાશે જે સ્‍થાનિક અર્થ વ્‍યવસ્‍થાને ઉજાગર કરશે.
અહીં કિડ્‍ઝ ઝોન/ઝુલાઓ બાળકો માટે વિશેષ રૂપથી તૈયાર કરાયા છે અને ખેલ ઝુલો અને મનોરંજક ગતિવિધિઓથી ભરપુર હોવાથી બાળકો પણ આ ઉત્‍સવનો આનંદ લઈ શકશે.
તિરંગો કેનવાસ એક મોટા કેનવાસ ઉપર લોકો ભારતીય ભાષામાં ‘હર ઘર તિરંગા’ અને ‘જય હિન્‍દ’ લખી શકે છે. આ સહભાગિતા ફક્‍ત રાષ્‍ટ્રપ્રેમ જ નથી દર્શાવતી પરંતુ ભારતીય ભાષાઓની સમૃદ્ધિને પણ ઉજાગર કરે છે.
સેલ્‍ફી બૂથઃ વિશેષ રૂપથી ડિઝાઈન કરાયેલા સેલ્‍ફી બૂથ ઉપર લોકો તિરંગાની સાથેપોતાની તસવીરો ખેંચી શકે છે અને તેને સોશિયલ મીડિયા ઉપર પ્રદર્શિત કરી શકે છે. જેનાથી આ અભિયાનની પહોંચ ઘણી વ્‍યાપક થતી હોય છે. આમ, તા.9થી 15મી ઓગસ્‍ટ સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન એક રાષ્‍ટ્ર ભક્‍તિ અને દેશદાઝનું પ્રતિક બની રહેશે.

Related posts

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા અગામી 5મી મેએ યોજાનારો સમૂહ લગ્ન મહોત્‍સવ

vartmanpravah

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment