March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: વણાકબારાના ‘‘યુવા જાગૃત માછીમાર ગ્રુપ”ના અથાગ પ્રયાસોથી પહેલીવાર વણાકબારા થી દમણ પ્રાઈવેટબસનો પ્રારંભ, આ બસ ચાલુ કરવામાં બસના માલિક તથા કર્મચારીઓનો ભરપુર સહયોગ રહ્યો હતો. આ પ્રાઈવેટ બસ ‘‘વણાકબારાથી દમણ” સુધી સીધી ચાલુ કરવામાં આવી છે, આ બસ ની સેવાનો લાભ માછીમારો અને આમ જનતા લઈ શકશે અને તેઓને દીવ અથવા ઉનાથી બસ પકડવા માટે કલાક પહેલા વણાકબારાથી નીકળીને દીવ બસ સ્‍ટેન્‍ડ અથવા ઉના પહોંચવું પડતુ તે તકલીફ હવે નહિ થાય, તે હવે વણાકબારા બસ સ્‍ટેન્‍ડથી જ બસ મળી શકશે. આ ટ્રાવેલ્‍સનું બુકિંગ પણ વણાકબારા બસ સ્‍ટેન્‍ડમાંથી થઈ શકશે. આ સેવા બદલ ટ્રાવેલ્‍સના માલિક તથા કર્મચારીઓનો વણાકબારા ગ્રામજનોએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment