(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.03: વણાકબારાના ‘‘યુવા જાગૃત માછીમાર ગ્રુપ”ના અથાગ પ્રયાસોથી પહેલીવાર વણાકબારા થી દમણ પ્રાઈવેટબસનો પ્રારંભ, આ બસ ચાલુ કરવામાં બસના માલિક તથા કર્મચારીઓનો ભરપુર સહયોગ રહ્યો હતો. આ પ્રાઈવેટ બસ ‘‘વણાકબારાથી દમણ” સુધી સીધી ચાલુ કરવામાં આવી છે, આ બસ ની સેવાનો લાભ માછીમારો અને આમ જનતા લઈ શકશે અને તેઓને દીવ અથવા ઉનાથી બસ પકડવા માટે કલાક પહેલા વણાકબારાથી નીકળીને દીવ બસ સ્ટેન્ડ અથવા ઉના પહોંચવું પડતુ તે તકલીફ હવે નહિ થાય, તે હવે વણાકબારા બસ સ્ટેન્ડથી જ બસ મળી શકશે. આ ટ્રાવેલ્સનું બુકિંગ પણ વણાકબારા બસ સ્ટેન્ડમાંથી થઈ શકશે. આ સેવા બદલ ટ્રાવેલ્સના માલિક તથા કર્મચારીઓનો વણાકબારા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.