October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

વાછરડાઓ પણ દાઝી જવાના કારણે સ્‍થિતિ ગંભીર: કોઢારમાં સાથે રાખેલઘાસની 400 જેટલી ગાંસડી તથા 500 જેટલી ખાતરની ગુણી બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતે એક ખેડૂતને ત્‍યાં કોઢારમાં આગ લાગતા 11 ગાયો અને એક ભેસનું મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અમ્રતસિંહ મોહનસિંહ સોલંકી ઉમરગામ તાલુકાના બોરીગામ રાજપુત ફળિયા ખાતે રહે છે, જેઓ એક ખેડૂત છે અને સાથે પશુપાલનનો ધંધો કરે છે. જેમના ઘરની પાછળના ભાગે પશુઓ માટે કોઢાર બનાવવામાં આવેલ છે. આજે કોઢારના પાછળના ભાગેથી કોઈક કારણસર બપોરે બે વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટના જોતા અમ્રતભાઈના પરિવારના સભ્‍યો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને તમામે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ રૂપ પકડી લીધું હતું. ત્‍યારબાદ ફાયર ફાઈટર વિભાગને જાણ કરી હતી. તાત્‍કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી મોરચો સંભાળી લીધો હતો, પરંતુ કોઢારમાં પશુઓ સાથે બાજુમાં ઘાસચારો પણ ભરેલો હતો તેથી ફાયર ફાઈટરો આવે તે પહેલાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. કોઢારમાં ગાયો અને ભેંસોને દોરી વડે બાંધેલ હતી જેના કારણે તેઓ ભાગી શક્‍યા નહિઅને આગની વિકરાળ જ્‍વાળાના કારણે 1 ભેંસ અને 11 જેટલી ગાયોના કમકમાભટી ભર્યા મોત થયા હતા. કોઢારમાં નાના વાછરડાંઓ પણ દાઝી ગયા છે, ઉપરાંત અંદર રાખવામાં આવેલ 500 ગુણી ખાતર અને 400 ઘાસની ગાંસડીઓ પણ બળીને ખાખ થઈ જવા પામી હતી.
ફાયરની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી. પરંતુ 1 ભેંસ સહિત 11 જેટલી ગાયોના મોત થતાં પંથક તથા ઉમરગામ તાલુકા સહિત વાપી, સેલવાસ, દમણ વિસ્‍તારમાં પશુપાલકો તથા આમજનતામાં ભારે દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્‍લેષણ કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

બુધવારે દમણ અને સેલવાસમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-પ્રદર્શનનું આયોજન

vartmanpravah

Leave a Comment