Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

આર.બી.આઈ.એ જારી કરેલ 15.27 ટકા સીઆરએઆરઃ બેંક માટે આવકારદાયક દર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક માત્ર સહકારી બેંક દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે નાણાંકીય વર્ષ 2023-24ના પહેલાં ત્રિમાસિક ગાળામાં 1 એપ્રિલ- 2023થી 30 જૂન-2023 સુધી રૂા.3.70 કરોડનો નફો રળ્‍યો છે. તેની સાથે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 37.40 લાખ રૂપિયાની શેર કેપિટલમાં પણ વધારો કરીશેર કેપિટલને 20.68 કરોડ રૂપિયા સુધી પહોંચાડયો છે.
ગત નાણાંકીય વર્ષ 2022-23માં બેંકે 9.45 કરોડ રૂપિયાનો નફો રળી શેરધારકો અને ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કર્યો હતો. ગત વર્ષની માફક આ વર્ષે પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે 2022-23 માટે પણ કાનૂની ઓડિટમાં ‘બી’ ગ્રેડ જાળવી રાખ્‍યો છે. જે બેંક માટે મોટી સફળતા માનવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા હાલમાં જ કાનૂની ઓડિટર દ્વારા સીઆરએઆર 15.27 ટકા જારી કર્યો છે જે ઘણો આવકારદાયક છે.
અત્રે યાદ રહે કે, જૂન, 2020માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું સંચાલન ગવર્નિંગ બોડી પાસેથી લઈ પ્રશાસનના હાથોમાં લઈ લીધું હતું. ત્‍યારથી બેંકનું ભાગ્‍ય પણ ઉઘડી ગયું છે અને ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ રહી છે.

Related posts

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્‍કૂલમાં વિદ્યાર્થી સન્‍માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વલસાડ જિલ્લાના એક માત્ર શિક્ષિકા ઈલાબેન પટેલનું મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

Leave a Comment