April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

આર.બી.આઈ.એ જારી કરેલ 15.27 ટકા સીઆરએઆરઃ બેંક માટે આવકારદાયક દર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક માત્ર સહકારી બેંક દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે નાણાંકીય વર્ષ 2023-24ના પહેલાં ત્રિમાસિક ગાળામાં 1 એપ્રિલ- 2023થી 30 જૂન-2023 સુધી રૂા.3.70 કરોડનો નફો રળ્‍યો છે. તેની સાથે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 37.40 લાખ રૂપિયાની શેર કેપિટલમાં પણ વધારો કરીશેર કેપિટલને 20.68 કરોડ રૂપિયા સુધી પહોંચાડયો છે.
ગત નાણાંકીય વર્ષ 2022-23માં બેંકે 9.45 કરોડ રૂપિયાનો નફો રળી શેરધારકો અને ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કર્યો હતો. ગત વર્ષની માફક આ વર્ષે પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે 2022-23 માટે પણ કાનૂની ઓડિટમાં ‘બી’ ગ્રેડ જાળવી રાખ્‍યો છે. જે બેંક માટે મોટી સફળતા માનવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા હાલમાં જ કાનૂની ઓડિટર દ્વારા સીઆરએઆર 15.27 ટકા જારી કર્યો છે જે ઘણો આવકારદાયક છે.
અત્રે યાદ રહે કે, જૂન, 2020માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું સંચાલન ગવર્નિંગ બોડી પાસેથી લઈ પ્રશાસનના હાથોમાં લઈ લીધું હતું. ત્‍યારથી બેંકનું ભાગ્‍ય પણ ઉઘડી ગયું છે અને ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ રહી છે.

Related posts

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

vartmanpravah

આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્‍ચે જંગ = આજે દમણ અને દીવમાં મુખ્‍યત્‍વે 3 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે

vartmanpravah

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah

Leave a Comment