April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: મજીગામ સ્‍થિત પોસ્‍ટ ઓફિસમાં મજીગામ અને મલવાડા ગામના 1250 જેટલા લોકો વિવિધ પ્રકારના ખાતાઓ ધરાવે છે. આ પોસ્‍ટ ઓફિસમાં પાસબુકો કર્મચારીએ પોતાની પાસે જ રાખી હોવાની બાબતે વિવાદ બહાર આવતા ખાતેદારોના ખાતાઓમાંથી મોટી રકમની ખાતેદારો એટલેગ્રાહકોની જાહેર બહાર લેવડ દેવડ કરી મોટી રકમની ગોબાચારી આચરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ સમગ્ર બાબત બહાર આવતા પોસ્‍ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ કર્મચારીને બચાવવાના કારભારમાં આ કર્મચારી દ્વારા કેટલીક રકમની ભરપાઈ પણ કરી દેવામાં આવી હોવાની ચર્ચા પણ બહાર આવી રહી છે જોકે આ રકમ જે તે ગ્રાહકોના ખાતામાં ભરી પાસબુકમાં એન્‍ટ્રી કરી કદાચ સરભર કરવાની દિશામાં પણ કારભાર ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્‍યારે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલે તો પોસ્‍ટ વિભાગ દ્વારા ટીમ બનાવી ગ્રાહકોના ઘરે ઘરે જઈને પાસબુકો એકત્ર કરી વેરીફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ પાછલા દરવાજે નાણાંની ભરપાઈ કરી સરભર કરી હકીકત પર પડદો પાડી દેવામાં આવે તો નવાઈ નહિ.
ચીખલી પોસ્‍ટ ઓફિસના અંકુરભાઈ જોષીના જણાવ્‍યાનુસાર અમારી ટીમ મજીગામમાં ફરે છે અને પાસબુકો ઉઘરાવાનું ચાલું છે. હાલે 550 જેટલી પાસબુકો વેરીફાઇડ કરાઈ છે. જેમાં કશું આવ્‍યું નથી. તમામ પાસબુકો આવ્‍યા બાદ સિસ્‍ટમમાં ચેક કરાયા બાદ કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય હાલે તપાસ ચાલુ છે.

Related posts

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

Leave a Comment