October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

ગુદીયા, અતુલ-૨ અને મોગરાવાડી – ૨ ની દુકાન મર્જ કરવા બાબતે નિર્ણય લેવાયો

જિલ્લાની વિવિધ વાજબી ભાવની ૧૩૮ દુકાનોમાં હાથ ધરાયેલી તપાસ અંગે ચર્ચા થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં બંધ પડેલી વાજબી ભાવની દુકાન શરૂ કરવા અર્થે જાહેરાત આપવા, ઉમરગામના દહેરી (જનરલ) પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર માટે દુકાન ફાળવવા, ગુદીયા, અતુલ-૨ અને મોગરાવાડી – ૨ ની દુકાન મર્જ કરવા બાબતે નિર્ણય લેવાયો હતો. દુકાનનું સ્થળ ફેરફાર કરવા બાબત, એક વર્ષથી ચાર્જમાં ચાલતી દુકાનો, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પારડીના ઉમરસાડી-૩ના વાજબી ભાવની દુકાનના સંચાલકે અને પારડી-૨ ના સંચાલકે રાજીનામા મુકતા નવી વ્યાજબી ભાવની દૂકાન માટે દરખાસ્ત મળી હતી. વાપીના ડુંગરામાં વસ્તીના ધોરણ ધોરણ અનુસાર નવી દુકાન ખોલવા માટે દરખાસ્ત મળી હતી. ડુંગરામાં વધુ વસ્તી અને બેને એફપીએસનું અંતર ચારથી પાંચ કિમી હોવાથી ટીનાબેન બી.આહિરને નવી વ્યાજબી ભાવની દુકાન ફાળવવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, રાશન કાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ મળવુ જ જોઈએ. આ સિવાય વાજબી ભાવની દુકાનો કેટલા દિવસ ચાલુ રહે છે તે માટે ઓચિંતિ વિઝિટ કરવા મામલતદારશ્રીઓને સૂચન કર્યુ હતું. જિલ્લા પુરવઠા અધિકારી દિપર બારીયાએ ઈકેવાયસી તમામ રાશન કાર્ડ ધારકોનું કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી ચોક્કસ ડેટા ક્લિયર થશે. મે માસ દરમિયાન જિલ્લાની વિવિધ વાજબી ભાવની ૧૩૮ દુકાનોમાં હાથ ધરાયેલી તપાસ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લાના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ, જિલ્લા વેપારી મંડળના પ્રતિનિધિ તેમજ વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દમણઃ ડાભેલ સ્‍થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્‍યક્‍તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્‍ટરને રાવ : દમણ જિલ્લા કલેક્‍ટરશ્રીને 500થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment