October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ કડકનાથ મરઘી યોજનાના લાભાર્થીઓની મુલાકાત કરી જાણેલી વિવિધ સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલીના આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન માટે અનેક પહેલ કરી રહ્યા છે. જેના સંદર્ભમાં, પંચાયતી રાજ સચિવ, જિલ્લા કલેક્‍ટર, નિવાસી નાયબ કલેક્‍ટર, ખાનવેલ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના અન્‍ય અધિકારીઓ જરૂરિયાતમંદ આદિવાસીઓ સાથે વાર્તાલાપ કરી તેમના આર્થિક સશક્‍તિકરણ માટેની વ્‍યૂહરચના અંગે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.
આજે ખાનવેલ સબ જિલ્લા વિભાગમાં દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને અન્‍ય અધિકારીઓએ આદિવાસી અને નાના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ ઘણી વ્‍યૂહરચનાઓ પર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ખાનવેલ સબ જિલ્લા વિસ્‍તારમાં અમલમાં મુકાયેલી કડકનાથ મરઘી યોજનાના અમલીકરણની સમીક્ષા કરવા માટે કલેક્‍ટર સહિતના ઉચ્‍ચ અધિકારીઓએ લાભાર્થીઓની મુલાકાત કરી હતી અને તેઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતુંઅને તેમને પડતી મુશ્‍કેલીઓ સાંભળી તેમના ઉકેલની બાહેંધરી આપી હતી.
કડકનાથ મઘરી યોજના ખાનવેલ સબ-ડિવિઝનના આર્થિક રીતે નબળા અને આદિવાસી રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ માટે ક્રાંતિકારી પરિવર્તન સાબિત થવા જઈ રહી છે. આ યોજના દ્વારા આદિવાસી મહિલાઓ સ્‍વ-રોજગાર દ્વારા દર મહિને 6 થી 7 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકશે. કડકનાથ તેના ઉચ્‍ચ પોષણ મૂલ્‍ય માટે જાણીતી છે અને તેના દ્વારા જિલ્લામાં કુપોષણની સમસ્‍યાને ઘટાડવામાં પણ મદદ મળશે.
અધિકારીઓએ ગ્રામજનો સાથે કળષિ પેદાશો માટે બજાર જોડાણને મજબૂત કરવાની વ્‍યૂહરચના અંગે પણ વિસ્‍તૃત ચર્ચા કરી હતી. જિલ્લાના આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા નજીકના ભવિષ્‍યમાં આવી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવનાર હોવાની પણ માહિતી આપી હતી.

Related posts

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્‍ટેશન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

Leave a Comment