April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

બસ રાતે અમદાવાદથી ઉપડી ઔરંગાબાદ જવા નિકળી હતી : મળસ્‍કે કપરાડા-નાસિક માર્ગમાં અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા-નાસિક માર્ગ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. આજે બુધવારે મળસ્‍કે અમદાવાદથી નિકલી ઔરંગાબાદ જઈ રહેલી કાનગી લક્‍ઝરી બસનું ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં 6 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જ્‍યારે એકની સ્‍થિતિ ગંભીર હોવાથી સ્‍થળ ઉપર જ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાતે અમદાવાદથી ગુજરાત ટ્રાવેલ્‍સની લક્‍ઝરી બસ નં.જીજે 1 એફટી 4641 મહારાષ્‍ટ્ર ઔરંગાબાદ 30 જેટલા મુસાફરોને લઈને નિકલી હતી. આજે બુધવારે મળસ્‍કે બસ કપરાડા નાસિક માર્ગ ઉપર પસાર થઈ રહી હતી ત્‍યારેસામેથી પુરઝડપો આવી રહેલ વાહન સાથે અકસ્‍માત ના સર્જાય તેથી ચાલકે બસ સાઈડમાં ઉતારવા જતા અચાનક ટાયર ફાટી જતા બસ પલટી મારી ગઈ હતી તેથી સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં બસમાં મીઠી નિંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. સ્‍થાનિકોએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી છ જેટલા ઘાયલ મુસાફરોને કપરાડા સી.એચ.સી. તેમજ સુથારપાડા સી.એચ.સી. ખસેડાયા હતા. અકસ્‍માતમાં વડોદરા વાઘોડીયાના પ્રકાશ લલ્લુભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્‍થળે તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું. કપરાડા પોલીસે અકસ્‍માત ગુનો દાખલ કરી બસને ક્રેઈન વડે બહાર કાઢી હતી.

Related posts

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment