July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

બસ રાતે અમદાવાદથી ઉપડી ઔરંગાબાદ જવા નિકળી હતી : મળસ્‍કે કપરાડા-નાસિક માર્ગમાં અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા-નાસિક માર્ગ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. આજે બુધવારે મળસ્‍કે અમદાવાદથી નિકલી ઔરંગાબાદ જઈ રહેલી કાનગી લક્‍ઝરી બસનું ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં 6 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા જ્‍યારે એકની સ્‍થિતિ ગંભીર હોવાથી સ્‍થળ ઉપર જ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાતે અમદાવાદથી ગુજરાત ટ્રાવેલ્‍સની લક્‍ઝરી બસ નં.જીજે 1 એફટી 4641 મહારાષ્‍ટ્ર ઔરંગાબાદ 30 જેટલા મુસાફરોને લઈને નિકલી હતી. આજે બુધવારે મળસ્‍કે બસ કપરાડા નાસિક માર્ગ ઉપર પસાર થઈ રહી હતી ત્‍યારેસામેથી પુરઝડપો આવી રહેલ વાહન સાથે અકસ્‍માત ના સર્જાય તેથી ચાલકે બસ સાઈડમાં ઉતારવા જતા અચાનક ટાયર ફાટી જતા બસ પલટી મારી ગઈ હતી તેથી સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં બસમાં મીઠી નિંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. સ્‍થાનિકોએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી છ જેટલા ઘાયલ મુસાફરોને કપરાડા સી.એચ.સી. તેમજ સુથારપાડા સી.એચ.સી. ખસેડાયા હતા. અકસ્‍માતમાં વડોદરા વાઘોડીયાના પ્રકાશ લલ્લુભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્‍થળે તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું. કપરાડા પોલીસે અકસ્‍માત ગુનો દાખલ કરી બસને ક્રેઈન વડે બહાર કાઢી હતી.

Related posts

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્‍તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્‍માન

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment