July 20, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભીમપોર સરકારી આશ્રમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ મોડલો રજૂ કરી નિખારેલી પોતાની પ્રતિભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28
આજે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક આશ્રમ શાળા, ભીમપોરમાં ‘આંતર રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ’ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુબજ નાની દમણના ભીમપોર ખાતે આવેલ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક આશ્રમ શાળામાં ‘આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી નિમિત્તે બાળકોમાં ગણિત-વિજ્ઞાન પ્રત્‍યે રૂચિ વધે એ હેતુથી શાળાના આચાર્યા શ્રીમતી પુષ્‍પાબેન બી. પટેલના દિશા-નિર્દેશ મુજબ અને શાળાના શિક્ષકોની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ભવ્‍ય અને સુંદર વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા બી.આર.સી. શ્રીમતી ભાવિનીબેન દેસાઈ, સી.આર.સી. શ્રી નરેન્‍દ્રભાઈ પટેલ, એસ.એમ.સી. ચેરમેન શ્રીમતી ગૌરીબેન હળપતિ, શિક્ષણશાષાી શ્રી પરિમલભાઈ પટેલ અને અગત્‍સ્‍ય ફાઉન્‍ડેશન તરફથી શ્રી મેહુલભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે શાળાના બાળકોએ વિવિધ મોડલો રજૂ કરી બાળ વૈજ્ઞાનિકની પોતાની પ્રતિભાને દર્શાવી હતી.
વિજ્ઞાન મેળાના મુખ્‍ય પ્રેરણાષાોત એવા શ્રી નરેન્‍દ્રભાઈ પટેલે બાળકોને જરૂરી માર્ગદર્શન આપી તેમણે રજૂ કરેલા મોડલોની પ્રશંસા કરી પ્રોત્‍સાહિત કર્યા હતા અને બાળકોનો હોંશલો બુલંદ કર્યો હતો. આ પ્રસંગે 148 જેટલા બાળકો સહિત શાળાના શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

અંડર-14, 17 અને 19 શ્રેણીની છોકરીઓ માટે દમણમાં આંતર શાળાકીય ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

Leave a Comment