ઉદ્યોગો દ્વારા નદીઓ પ્રદૂષિત કરાઈ રહી છે : સરકાર પર એન.જી.ટી. ખફા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27 : તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.)એ ગુજરાતમાં નદીઓ ઉદ્યોગો તથા અન્યકારણોસર પ્રદૂષિત થઈ ચૂકી છે. એન.જી.ટી.એ તારણ કાઢેલી નદીઓમાં દમણગંગા નદીનો પણ સમાવેશ કરાયો છે. આ મુદ્દે એન.જી.ટી.એ સરકારને 2100 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
એન.જી.ટી.એ તેના લેન્ડમાર્ક ઓર્ડરમાં જણાવ્યું હતું કે, એસ.ટી.પી. સેટઅપ કરો અને અનટ્રિટેડ વોટર નદીઓમાં વહાવાય છે તે રોકો. રાજ્યના મોટા શહેરોના ઉદ્યોગો કેમિકલ યુક્ત પાણી નદીઓમાં છોડી રહ્યા છે. પ્રદૂષિત સમાવિષ્ટ નદીઓમાં નર્મદા, સાબરમતિ, ભાદર, વિશ્વામિત્રી, તાપી અને દમણગંગાનો સમાવેશ થયો છે. સી.ઈ.ટી.પી.ની કેટલી પણ ચોક્કસ કામગીરીની બુમરેંગ વચ્ચે પાલિકા દ્વારા દમણગંગામાં છોડાઈ રહેલું પાણી તથા ઉદ્યોગોનું ખાનગી રાહે છોડાઈ રહેલું પ્રદૂષિત પાણીને લઈ પ્રદૂષિત નદીઓમાં દમણગંગા પણ ગણાવાઈ છે. એન.જી.ટી.એ ફટકારેલ 2100 કરોડના દંડનો જવાબ ગુજરાત સરકારે નક્કી કરવાનું રહેશે. તાપી, નર્મદામાં ગંગાની જેમ ભાવિકો આરતી કરે છે પરંતુ અંતે રામ તેરી ગંગા મેલી જેવો ઘાટ ગુજરાતમાં પણ થયો છે.