July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવાપી

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

અંડરગ્રાઉન્ડ કેબલ યોજનાની મંજુરી બદલ એસોસિએશનએ માનેલો આભાર 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ આજે વાપી ખાતે નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની જન સંપર્ક કાર્યાલયમાં મુલાકાત લીધી હતી. સરકાર તરફથી સરીગામ વસાહતમાં ભૂમિગત કેબલ યોજનાની મંજુરી આપવા બદલ એસ.આઈ.એ. સભ્‍યોએ આભાર માન્‍યો હતો.
ઊર્જા-નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વાપી જમીન સંપર્ક કાર્યાલયમાં સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અગ્રણીઓ ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સરીગામ બે કિ.મી. બાપયાસ રોડની દુર્દશા અને મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતીઅને રોડ જલ્‍દી બને તેની માંગ કરી હતી. ભૂમિગત કેબલના નિર્ણયને એસ.આઈ.એ. આવકાર આપી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્‍યો હતો.
આ અવસરે શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી સજ્જન મુરારકા, શ્રી નિર્મલ દુધાની, સચિવ શ્રી શમીમ રિઝવી, કોષાધ્‍યક્ષ શ્રી કિશોર ગજેરા, શ્રી બી.કે.દાયમા, શ્રી કૌશિક પટેલ, શ્રી નિતિન ઓઝા, પૂર્વ પ્રમુખ શ્રી શિરિષભાઈ દેસાઈ સહિત ઉદ્યોગપતિઓ નાણાં-ઉર્જા મંત્રીની મુલાકાતમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

પ્રદેશના ગુમનામ રતનને ફરી પ્રકાશિત કરતું દાનહ પ્રશાસન દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાના નેતૃત્‍વમાં જિલ્લા પ્રશાસને વયોવૃદ્ધ જમુનીબેન વરઠાના ઘરે જઈ કરેલું અભિવાદન

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

Leave a Comment