March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

પૂજા, હવન, પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા તથા ભજન સંધ્‍યાજેવા કાર્યક્રમોની રમઝટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્‍મ દિવસ. હિન્‍દુ ધર્મના શાષાો અનુસાર સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કળતિ ઉપર દૈત્‍ય શક્‍તિઓ હાવી થાય ત્‍યારે ભગવાને તેઓનો નાશ કરવા જન્‍મ લેવો પડે છે. રાવણે પણ ત્રિલોકમાં ત્રાસ ફેલાવી દેવોને અનેક પ્રકારે દુઃખ આપતો હોય ભગવાન વિષ્‍ણુએ સાતમાં રામાવતાર લઈ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.
પારડી નગરમાં પણ ઠેર ઠેર રામ નવમીની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. પારડી દમણીઝાપા, રશ્‍મિ સોસાયટી, ભેસલાપાડ, શાકભાજી માર્કેટ, ચીવલ રોડ, હનુમાન ડુંગરી અને બાલદા જેવા અનેક સ્‍થળોએ સવારથી જ પૂજા, હવન પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા અને સાંજે ભજન સંધ્‍યા જેવા કાર્યક્રમોની રમઝટને લઈ સમગ્ર નગરે રામ જન્‍મ દિનને ઉજવી ધન્‍યતા અનુભવી હતી.
રામ નવમીને લઈ નગરના અનેક સ્‍થળોથી સાંઈબાબાની પાલખી યાત્રા તથા બાબાના મંદિરોમાં પૂજા-અર્ચના તથા મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો. બપોરે નીકળેલ પાલખીયાત્રાને લઈ સાંઈ ભક્‍તોએ પાલખી યાત્રીકોને ઠંડા પીણા પીવડાવી તેઓની તરસ છીપાવી હતી. આમ રામ નવમીની સાથે સાથેપારડી નગરમાં સાંઈબાબાની પાલખીયાત્રા અને બાબાના મંદિરે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્‍યામાં સાંઈ ભક્‍તો ઉમટી પડ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

Leave a Comment