Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

વેપારીઓ તથા બેંકના સભાસદોએ ભેગા થઈ યોજના ચાલુ રાખવા આપ્‍યું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: સરદાર ભિલાડવાલા બેંકમાં લગભગ 35 વર્ષ ઉપરાંતથી ચાલતી અને મોટા વેપારીઓથી લઈ પાથરણા વાળા સુધીના નાના વેપારીઓ માટે લાભદાય એવી દૈનિક યોજનાના નવા ખાતા ન ખોલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાતા આ યોજનાની કામગીરી હાલના તબક્કે ખોરંભે ચઢી ચૂકી છે જેને લઇ ચિંતામાં મુકાયેલા બચતકારો અને લોનધારકો તેમજ પારડી, વાપીના વેપારીઓએ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થઈ આ યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા લેખિત રજૂઆત કરી છે.
દક્ષિણ ગુજરાતની અગ્રગણ્‍ય એવી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્‍સ કોપ કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડ દ્વારા 35 વર્ષ ઉપરાંતથી દૈનિક યોજના ચલાવવામાં આવે છે જે યોજના થકી પાથરણાવાળાથી લઈ મોટા વેપારીઓ નાની-મોટી બચત કરતા આવ્‍યા છે તો આ યોજના થકી જ દર મહિને લોનના હપ્તા સરળતાથી ભરી રહ્યા છે જાન્‍યુઆરી 2024 થી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે યોજનાના નવા ખાતા ખોલવાની કામગીરી મુલતવી રાખવામાંઆવી છે જેને કારણે બે મહિનાથી નવા ખાતા ન ખોલતા બચતકારો અને લોનધારકો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને દર મહિને લોનનો હપ્તો આ યોજના થકી નિયમિત ભરતા લોનધારકો માટે મુશ્‍કેલી ઉભી થતા પારડી વાપીના વેપારીઓ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થયા હતા તેમ જ દૈનિક યોજનાના ખાતેદારો પણ તેમની સાથે જોડાયા હતા. જેમણે બેંકના ચેરમેનને એક લેખિત રજૂઆત કરી યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

‘રોબોટિક્‍સ મહોત્‍સવ’ હેઠળ ‘રોબોટેક્‍સ ઈન્‍ટરનેશનલ ચેમ્‍પિયનશિપ-2024’માં ભાગ લેવા સંઘપ્રદેશ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાંચ વિદ્યાર્થીઓ તાલીન પહોંચ્‍યા

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment