Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

વેપારીઓ તથા બેંકના સભાસદોએ ભેગા થઈ યોજના ચાલુ રાખવા આપ્‍યું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: સરદાર ભિલાડવાલા બેંકમાં લગભગ 35 વર્ષ ઉપરાંતથી ચાલતી અને મોટા વેપારીઓથી લઈ પાથરણા વાળા સુધીના નાના વેપારીઓ માટે લાભદાય એવી દૈનિક યોજનાના નવા ખાતા ન ખોલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાતા આ યોજનાની કામગીરી હાલના તબક્કે ખોરંભે ચઢી ચૂકી છે જેને લઇ ચિંતામાં મુકાયેલા બચતકારો અને લોનધારકો તેમજ પારડી, વાપીના વેપારીઓએ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થઈ આ યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા લેખિત રજૂઆત કરી છે.
દક્ષિણ ગુજરાતની અગ્રગણ્‍ય એવી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્‍સ કોપ કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડ દ્વારા 35 વર્ષ ઉપરાંતથી દૈનિક યોજના ચલાવવામાં આવે છે જે યોજના થકી પાથરણાવાળાથી લઈ મોટા વેપારીઓ નાની-મોટી બચત કરતા આવ્‍યા છે તો આ યોજના થકી જ દર મહિને લોનના હપ્તા સરળતાથી ભરી રહ્યા છે જાન્‍યુઆરી 2024 થી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે યોજનાના નવા ખાતા ખોલવાની કામગીરી મુલતવી રાખવામાંઆવી છે જેને કારણે બે મહિનાથી નવા ખાતા ન ખોલતા બચતકારો અને લોનધારકો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને દર મહિને લોનનો હપ્તો આ યોજના થકી નિયમિત ભરતા લોનધારકો માટે મુશ્‍કેલી ઉભી થતા પારડી વાપીના વેપારીઓ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થયા હતા તેમ જ દૈનિક યોજનાના ખાતેદારો પણ તેમની સાથે જોડાયા હતા. જેમણે બેંકના ચેરમેનને એક લેખિત રજૂઆત કરી યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે.

Related posts

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા -2022” યોજાઈ

vartmanpravah

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

Leave a Comment