(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.રર
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત આવતી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જ્ન્મ જયંતિના પરાક્રમ દિવસે પંચાયતના પટાંગણમાં સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિના પરાક્રમ દિવસના અવસરે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સવારે 10:30 કલાકે કોરોના ગાઈડ લાઈન અનુસાર સાદગીથી કાર્યક્રમની ઉજવણી કરવાના હોવાનું પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.