January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

પૂજા, યજ્ઞ તથા હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ભક્‍તોએ ધન્‍યતા અનુભવી: બપોરે યજ્ઞ બાદ શરૂ થયેલમહાપ્રસાદ મોડી રાત સુધી ચાલવાની પરંપરા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી હનુમાન ડુંગરી સ્‍થિત રોકડિયા હનુમાન દાદાનું મંદિર પારડી તથા આજુબાજુના વિસ્‍તારના લોકો માટે ભક્‍તિ અને આસ્‍થાનું પ્રતીક છે વર્ષ દરમિયાન દર શનિવારે અહીં ભક્‍તોની ભીડ જોવા મળે છે.
વર્ષોથી ઉજવાતા હનુમાન જન્‍મોત્‍સવના દિવસે અહીં ઉજવાતા વિવિધ કાર્યક્રમોને લઈ અહીંનું વાતાવરણ ખૂબ જ ભક્‍તિમય બની જાય છે. લોકો સ્‍વયંભૂ ઉમટી પડી હનુમાન દાદાનો જન્‍મોત્‍સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
ચૈત્ર સુદ પૂનમ હોય ચૈત્રી નવરાત્રીને લઈ માતાજીના યજ્ઞ અને હનુમાનદાદાનો પણ જન્‍મદિન હોય અહીં બે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તજનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શન માટે મોટી કતારમાં લોકોએ ઊભા રહી દાદાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
વર્ષોની આ મંદિરની પરંપરા રહી શકે બપોરે યજ્ઞ હવન બાદ શરૂ કરવામાં આવેલ મહાપ્રસાદ મોડી રાત સુધી સતત ચાલુ રહે છે અને હજારો ભક્‍તજનો આ મહાપ્રસાદનો લાભ લે છે.
કોઈપણ ભગવાન કે માતાજીના અવતરણ દિવસને જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ હનુમાન દાદા હાલમાં પણ આપણી સાથે હાજરાહજૂર હોય હનુમાન જયંતિ નહીં પરંતુ હનુમાનજન્‍મોત્‍સવ તરીકે આ દિવસને ઉજવવું એ આપણા માટે હનુમાનદાદા આપણી સાથે હોવાનો પુરાવો છે.

Related posts

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment