Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવાપીસેલવાસ

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

  • પાંચસો વર્ષ જૂનું મનાતા પ્રાચીન ઐતિહાસિક શ્રી પંચમુખી હનુમાનજી મંદિરમાં ઉમટેલી ભક્‍તોની ભીડ

  • ગુજરાતના પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ પંચમુખી હનુમાનજીના કરેલા દર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: વાપીના મોટીતંબાડી ગામ સ્‍થિત ઐતિહાસિક પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જન્‍મોત્‍સવ કાર્યક્રમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારે મારુતિ યજ્ઞ બાદ મહા આરતી ત્‍યારબાદ ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સાંજે ભવ્‍ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. લોક ડાયરો કલાકાર શ્રી વિવેકભાઈ સાછલા અને મનીષાબેન પાઘડી તથા અન્‍ય કલાકારો દ્વારા આયોજીત કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે કપરાડા તાલુકાના ધારાસભ્‍ય અને પૂર્વ રાજ્‍યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી ખાસ ઉપસ્‍થિત રહી હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે મંદિરના ઇતિહાસ અંગે જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, આ મંદિર અંદાજીત પાંચસો વર્ષ જૂનુ છે અને ઐતહાસિક પ્રાચીન મંદિર છે. આ મંદિરે દર્શનાર્થે આવતા દરેક ભક્‍તોની મનોકામના પૂર્ણ થાયછે. અત્રે યાદ રહે કે, બી.એ.પી.એસ.ના આધ્‍યાત્‍મિક ગુરુ શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજ પણ મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, હાલમાં કર્ણાટક અને તમિલનાડુની પણ એક ટીમ આવી હતી અને તેઓએ જણાવ્‍યું હતું કે, તેમણે ઐતિહાસિક દમણગંગા નદી અને આ પંચમુખી હનુમાનજી મંદિરનો ઉલ્લેખ તેઓના ગ્રંથમાં પણ કરેલ છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

દશેરા પર્વએ વલસાડ જિલ્લાના પોલીસ મથકોમાં કરાઈ શષાોની પૂજા

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યકરો સાથે કરેલી ચૂંટણી સભા

vartmanpravah

Leave a Comment