Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

આર્યા હાઈટ્‍સમાં રહેતા કસ્‍તૂરીબેન ભાનુશાલી બિમારીઓથી કંટાળી ભરેલું પગલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નૂતનનગરવિસ્‍તારમાં આવેલ એક બહુમંઝિલા ઈમારતના આઠમા માળેથી એક મહિલાએ પડતુ મુકી આપઘાત કરતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી નૂતનનગર સ્‍થિત આર્યા હાઈટ્‍સના 8 માળે રહેતા કસ્‍તુરીબેન ભાનુશાલી ઘણા લાંબા સમયથી પેટ અને ઘુંટણની બિમારી રહેતી હતી. આ બિમારીઓ અંગે મુંબઈ, સુરતની દવાઓ પણ ચાલતી હતી. પરંતુ લાંબા સમયની બિમારીથી કંટાળી ત્રાસી ગયેલા કસ્‍તૂરીબેનએ અંતે ગત 31મી બપોરે 12:50 વાગ્‍યાના સમયે આઠમા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી દીધી હતી. પટકાતાની સાથે જ તેમનું સ્‍થળ ઉપર કરુણ મોત નિપજ્‍યું હતું. બિલ્‍ડીંગના રહીશો તેમજ ભાનુશાલી પરિવારોના લોકો સ્‍થળ ઉપર દોડી ગયા હતા. મૃતકની પૂત્રીએ વાપી ટાઉનમાં જાણ કરી હતી તેથી પોલીસે લાશને પી.એમ. માટે ખસેડી હતી.મૃતક કસ્‍તુરીબેનના પતિ વાપીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. બિમારીથી કંટાળી ગયેલ હોવાથી આ પગલું ભર્યાનું પૂત્રીએ પોલીસને જણાવ્‍યું હતું. નોંધનીય છે કે, નૂતનનગર વિસ્‍તારમાં સેંકડો ભાનુશાલી પરિવારો રહે છે તેથી ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Related posts

દમણના રાજા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

Leave a Comment