Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

આર્યા હાઈટ્‍સમાં રહેતા કસ્‍તૂરીબેન ભાનુશાલી બિમારીઓથી કંટાળી ભરેલું પગલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નૂતનનગરવિસ્‍તારમાં આવેલ એક બહુમંઝિલા ઈમારતના આઠમા માળેથી એક મહિલાએ પડતુ મુકી આપઘાત કરતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી નૂતનનગર સ્‍થિત આર્યા હાઈટ્‍સના 8 માળે રહેતા કસ્‍તુરીબેન ભાનુશાલી ઘણા લાંબા સમયથી પેટ અને ઘુંટણની બિમારી રહેતી હતી. આ બિમારીઓ અંગે મુંબઈ, સુરતની દવાઓ પણ ચાલતી હતી. પરંતુ લાંબા સમયની બિમારીથી કંટાળી ત્રાસી ગયેલા કસ્‍તૂરીબેનએ અંતે ગત 31મી બપોરે 12:50 વાગ્‍યાના સમયે આઠમા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી દીધી હતી. પટકાતાની સાથે જ તેમનું સ્‍થળ ઉપર કરુણ મોત નિપજ્‍યું હતું. બિલ્‍ડીંગના રહીશો તેમજ ભાનુશાલી પરિવારોના લોકો સ્‍થળ ઉપર દોડી ગયા હતા. મૃતકની પૂત્રીએ વાપી ટાઉનમાં જાણ કરી હતી તેથી પોલીસે લાશને પી.એમ. માટે ખસેડી હતી.મૃતક કસ્‍તુરીબેનના પતિ વાપીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. બિમારીથી કંટાળી ગયેલ હોવાથી આ પગલું ભર્યાનું પૂત્રીએ પોલીસને જણાવ્‍યું હતું. નોંધનીય છે કે, નૂતનનગર વિસ્‍તારમાં સેંકડો ભાનુશાલી પરિવારો રહે છે તેથી ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Related posts

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment