October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોના શહિદ થયેલા ફાયર જવાનોને યાદ કરી એસડીપીઓ મનસ્‍વી જૈને આપેલી શ્રદ્ધાંજલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ખાતે અગ્નિશમન દિવસ નિમિત્તે આજથી અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દર વર્ષની જેમ આજરોજ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 10.00 કલાકે દિવ ફાયર સ્‍ટેશન ખાતે અગ્નિશમન દરમિયાન શહિદ થયેલા ફાયર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
દીવ એસડીપીઓ મનસ્‍વી જૈનની અધ્‍યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોમાં ફાયર જવાનો શહિદ થઈ ગયા હતા. તે શહિદોની જાણકારી એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈને આપી હતી. સાથે સાથે ઉપસ્‍થિત દરેક જવાનોને અગ્નિશમન દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, ફાયર ઓફિસર કિશોર પટેલ તથા ઉપસ્‍થિત તમામ જવાનોએ શહિદોને પુષ્‍પ અર્પણ, બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલી આપી શહિદોને યાદ કર્યા હતા. આજથી અગ્નિશમન સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાંઆવ્‍યો હતો અગ્નિશમન દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Related posts

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

Leave a Comment