April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોના શહિદ થયેલા ફાયર જવાનોને યાદ કરી એસડીપીઓ મનસ્‍વી જૈને આપેલી શ્રદ્ધાંજલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ ખાતે અગ્નિશમન દિવસ નિમિત્તે આજથી અગ્નિશમન સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દર વર્ષની જેમ આજરોજ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 10.00 કલાકે દિવ ફાયર સ્‍ટેશન ખાતે અગ્નિશમન દરમિયાન શહિદ થયેલા ફાયર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.
દીવ એસડીપીઓ મનસ્‍વી જૈનની અધ્‍યક્ષતામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અગ્નિશમનમાં સેવા બજાવતા વિવિધ રાજ્‍યોમાં ફાયર જવાનો શહિદ થઈ ગયા હતા. તે શહિદોની જાણકારી એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈને આપી હતી. સાથે સાથે ઉપસ્‍થિત દરેક જવાનોને અગ્નિશમન દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે એસડીપીઓ શ્રી મનસ્‍વી જૈન, ફાયર ઓફિસર કિશોર પટેલ તથા ઉપસ્‍થિત તમામ જવાનોએ શહિદોને પુષ્‍પ અર્પણ, બે મિનિટનું મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલી આપી શહિદોને યાદ કર્યા હતા. આજથી અગ્નિશમન સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાંઆવ્‍યો હતો અગ્નિશમન દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Related posts

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment