(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : આવતી કાલે તા.31મીના સોમવારે દાદરા નગર હવેલીમાં જલારામ બાપ્પાની 223મી જન્મ જયંતિ નિમિતે ઠેર ઠેર જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવશે. સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલપાડા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર દાદરા, જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્ય ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે. દરેક મંદિરોમાં મહાઆરતી, ભજન કિર્તન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.