April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજે હનુમાન જન્‍મ જયંતિ નિમિત્તેની પ્રદેશના વિવિધ મંદિરોમાં ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘પવનપુત્ર હનુમાનજી કી જય’ના નાદ સાથે ભાવિક ભક્‍તો મોટી સંખ્‍યામાં મંદિરોમાં દર્શને પહોંચ્‍યા હતા.
હનુમાન જન્‍મોત્‍સવ નિમિત્તે સેલવાસના આમળી વિસ્‍તારમાં આવેલ હનુમાન મંદિર, રામજી મંદિર, પોલીસ સ્‍ટેશનની બાજુમાં, પાતળિયા ફળીયા, બાવીસા ફળીયા, ગાયત્રી મંદિર, મધુબન ડેમ કોલોની, બિન્‍દ્રાબિન હનુમાનજી મંદિર તેમજ નરોલી ખાતે આવેલ બાલેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન અને પૂજાના આયોજન સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે દમણ અને દીવના વિવિધમંદિરોમાં પણ હનુમાન દાદાની જન્‍મ જયંતિની રંગેચંગે ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણી ભાવિક ભક્‍તો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રામ ભક્‍ત હનુમાજીના અનેક મંદિરોમાં ભજન-કીર્તન, રામાયણ પાઠ, સુંદરકાંડ, પૂજા-અર્ચના અને મહાપ્રસાદનું મોટાપાયે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ હનુમાન દાદાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
દાદરા નગર હવેલીમાં આમળી ખાતેના હનુમાન મંદિરમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ ઉપસ્‍થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે સંઘપ્રદેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Related posts

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

નાનાપોંઢા-ધરમપુર રોડ ઉપર બેફામ દોડતા ડમ્‍પરે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

Leave a Comment