April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજે હનુમાન જન્‍મ જયંતિ નિમિત્તેની પ્રદેશના વિવિધ મંદિરોમાં ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘પવનપુત્ર હનુમાનજી કી જય’ના નાદ સાથે ભાવિક ભક્‍તો મોટી સંખ્‍યામાં મંદિરોમાં દર્શને પહોંચ્‍યા હતા.
હનુમાન જન્‍મોત્‍સવ નિમિત્તે સેલવાસના આમળી વિસ્‍તારમાં આવેલ હનુમાન મંદિર, રામજી મંદિર, પોલીસ સ્‍ટેશનની બાજુમાં, પાતળિયા ફળીયા, બાવીસા ફળીયા, ગાયત્રી મંદિર, મધુબન ડેમ કોલોની, બિન્‍દ્રાબિન હનુમાનજી મંદિર તેમજ નરોલી ખાતે આવેલ બાલેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન અને પૂજાના આયોજન સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે દમણ અને દીવના વિવિધમંદિરોમાં પણ હનુમાન દાદાની જન્‍મ જયંતિની રંગેચંગે ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણી ભાવિક ભક્‍તો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રામ ભક્‍ત હનુમાજીના અનેક મંદિરોમાં ભજન-કીર્તન, રામાયણ પાઠ, સુંદરકાંડ, પૂજા-અર્ચના અને મહાપ્રસાદનું મોટાપાયે આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં હજારોની સંખ્‍યામાં ભાવિક ભક્‍તોએ હનુમાન દાદાના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
દાદરા નગર હવેલીમાં આમળી ખાતેના હનુમાન મંદિરમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ ઉપસ્‍થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે સંઘપ્રદેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Related posts

ભાજપના દમણ જિલ્લા ઉપાધ્યક્ષ બળવંતભાઈ યાદવે વિશ્વકર્મા જયંતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પૂજા હવન કરાવ્યો

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

Leave a Comment