July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્‍માનીત શ્રી પ્રેમજીત બારીયાએ તા.20-4-2023નાં રોજ દમણ ખાતે ડીએનએચ અને દમણ-દીવના સન્‍માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્‍યાન પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રપતિ ભવનમાં દરબાર હોલમાં પદ્મશ્રી એવોર્ડ કાર્યક્રમ, અશોક હોલમાં ગ્રુપ ફોટો કાર્યક્રમ અને ત્‍યાર પછી બધા જ એવોર્ડને રાષ્‍ટ્રપતિ, ઉપ રાષ્‍ટ્રપતિ, પ્રધાન મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી વગેરે મહાનુભાવો રૂબરૂ મળ્‍યા તે બધી જ વાતો વિગતવાર જણાવી હતી.
આ સાંભળી પ્રશાસક મહોદય ખૂબ જ ખુશ થયા અને પદ્મશ્રી તથા પ્રધાનમંત્રીના ટ્‍વીટર ઉપર આવેલ સંદેશથી પદ્મશ્રી પ્રેમજીત બારીયાને અભિનંદન આપ્‍યા હતા. સાથોસાથ જણાવ્‍યું કે તમે ડીએનએચ, દમણ એન્‍ડ દીવનું નામ તમારા દીવના સ્‍થાપત્‍યનાં કલાત્‍મક ચિત્રો પ્રદર્શન મંત્રીના ટ્‍વીટર મારફત વિશ્વ સ્‍તરે લઈ આવ્‍યા.
વધુમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કહ્યું કે, હવેની આજની નવી પેઢીને તમારા આ કલાક્ષેત્રમાં જોડાવાની પ્રેરણા આપજો અને નવા છોકરાઓને ચિત્રકલામાં તૈયાર કરશો. જેથી તમારા પછી પણ આ સ્‍થાપત્‍ય કલા જીવંત રહે તેવા પ્રયત્‍ન કરતા રહેશોતેવું માર્ગદર્શન આપ્‍યું.
છેલ્લે કહ્યું… તમે ફક્‍ત દીવ-દમણના ખારવા જ્ઞાતિના જ નહીં પરંતુ ગુજરાત રાજ્‍યના દરિયા કિનારાના તમામ ખારવા (માછીમારો)નું ગૌરવ વધાર્યું છે.

Related posts

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment