Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્‍માનીત શ્રી પ્રેમજીત બારીયાએ તા.20-4-2023નાં રોજ દમણ ખાતે ડીએનએચ અને દમણ-દીવના સન્‍માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમ્‍યાન પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રપતિ ભવનમાં દરબાર હોલમાં પદ્મશ્રી એવોર્ડ કાર્યક્રમ, અશોક હોલમાં ગ્રુપ ફોટો કાર્યક્રમ અને ત્‍યાર પછી બધા જ એવોર્ડને રાષ્‍ટ્રપતિ, ઉપ રાષ્‍ટ્રપતિ, પ્રધાન મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી વગેરે મહાનુભાવો રૂબરૂ મળ્‍યા તે બધી જ વાતો વિગતવાર જણાવી હતી.
આ સાંભળી પ્રશાસક મહોદય ખૂબ જ ખુશ થયા અને પદ્મશ્રી તથા પ્રધાનમંત્રીના ટ્‍વીટર ઉપર આવેલ સંદેશથી પદ્મશ્રી પ્રેમજીત બારીયાને અભિનંદન આપ્‍યા હતા. સાથોસાથ જણાવ્‍યું કે તમે ડીએનએચ, દમણ એન્‍ડ દીવનું નામ તમારા દીવના સ્‍થાપત્‍યનાં કલાત્‍મક ચિત્રો પ્રદર્શન મંત્રીના ટ્‍વીટર મારફત વિશ્વ સ્‍તરે લઈ આવ્‍યા.
વધુમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કહ્યું કે, હવેની આજની નવી પેઢીને તમારા આ કલાક્ષેત્રમાં જોડાવાની પ્રેરણા આપજો અને નવા છોકરાઓને ચિત્રકલામાં તૈયાર કરશો. જેથી તમારા પછી પણ આ સ્‍થાપત્‍ય કલા જીવંત રહે તેવા પ્રયત્‍ન કરતા રહેશોતેવું માર્ગદર્શન આપ્‍યું.
છેલ્લે કહ્યું… તમે ફક્‍ત દીવ-દમણના ખારવા જ્ઞાતિના જ નહીં પરંતુ ગુજરાત રાજ્‍યના દરિયા કિનારાના તમામ ખારવા (માછીમારો)નું ગૌરવ વધાર્યું છે.

Related posts

અમરેલી જિલ્લા ભાજપ આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્‍વમાં પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની લીધેલી મુલાકાતઃ વિકાસ નિહાળી દિગ્‍મૂઢ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

દમણમાં શુક્રવારથી ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો થનારો પ્રારંભ : ઉત્તર ભારતીયોમાં થનગનાટ: 27મી માર્ચે યોજાનારી ફાઈનલ મેચ

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment