July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્‍થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્‍લબ દ્વારા કોલેજના પ્રિન્‍સિપલ ડૉ. દિપક ધોબીના અધ્‍યક્ષસ્‍થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વઘઈ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા ટ્રાઇબલ મ્‍યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી.
વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્‍પતિઓનો અભ્‍યાસ કર્યો હતો, જેના દ્વારા છોડ શાષા અને સંરક્ષણના પ્રયત્‍નોને સમજી તેમની જાણકારી વધારી હતી. વિવિધ તજજ્ઞોએ માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને સ્‍થાનિક છોડની પ્રજાતિઓ અને પર્યાવરણમાં તેના મહત્‍વ વિશે વિસ્‍તૃત સમજ મળી હતી. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને સાપુતારા ટ્રાઇબલ મ્‍યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી જ્‍યાં સ્‍થાનિક આદિવાસી સમુદાયોની સંસ્‍કળતિનો સમૃદ્ધ વારસો, આદર્શો, કલા અને ઇતિહાસને પ્રદર્શન વડે સમજાવતા તેઓને સાંસ્‍કળતિક વિવિધતા સમજવામાં મદદ મળી હતી.

Related posts

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

Leave a Comment