April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્‍થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્‍લબ દ્વારા કોલેજના પ્રિન્‍સિપલ ડૉ. દિપક ધોબીના અધ્‍યક્ષસ્‍થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વઘઈ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા ટ્રાઇબલ મ્‍યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી.
વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્‍પતિઓનો અભ્‍યાસ કર્યો હતો, જેના દ્વારા છોડ શાષા અને સંરક્ષણના પ્રયત્‍નોને સમજી તેમની જાણકારી વધારી હતી. વિવિધ તજજ્ઞોએ માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને સ્‍થાનિક છોડની પ્રજાતિઓ અને પર્યાવરણમાં તેના મહત્‍વ વિશે વિસ્‍તૃત સમજ મળી હતી. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને સાપુતારા ટ્રાઇબલ મ્‍યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી જ્‍યાં સ્‍થાનિક આદિવાસી સમુદાયોની સંસ્‍કળતિનો સમૃદ્ધ વારસો, આદર્શો, કલા અને ઇતિહાસને પ્રદર્શન વડે સમજાવતા તેઓને સાંસ્‍કળતિક વિવિધતા સમજવામાં મદદ મળી હતી.

Related posts

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

Leave a Comment