લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય તટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પસાર કરેલા પોતાના અમૂલ્ય સમયથી વિશ્વભરના લોકોમાં ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત માટે જાગેલી ઉત્તેજના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.04 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન સમુદ્રમાં સ્નોર્કલિંગ કરી કેટલીક પળોનો આનંદ ઉઠાવ્યો હતો. જે સમગ્ર લક્ષદ્વીપ માટે યાદગાર ઘટના બની છે. પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય સમુદ્ર તટ વચ્ચે પોતાનો કેટલોક અમૂલ્ય સમય પણ પસાર કર્યો હતો. જેના કારણે વિશ્વભરના લોકોમાં લક્ષદ્વીપની મુલાકાત માટે ઉત્તેજના પણ જાગી છે.