Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આધ્‍યાત્‍મિક માહોલમાં દાદરા મંડળ શ્રી શીતલનાથ દાદાના જિનાલયની 52મી વર્ષગાંઠ વિધિ વિધાનથી મનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જૈન ધર્મના આચાર્ય મહારાજની ઉપસ્‍થિતિમા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે મંદિર પરિસરમાં નવકારશિ, સતરભેદી પૂજા બાદ ધ્‍વજારોહણ બાદ સ્‍વામિવત્‍સલ્‍યનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાદરા સંઘના ટ્રસ્‍ટી શ્રી નટુભાઈ શાહના નેતૃત્‍વમાં આખા સંઘનો સહયોગ રહ્યો હતો. ધ્‍વજારોહણ દરમ્‍યાન ભક્‍તોમાં ઈશ્વર પ્રત્‍યે આસ્‍થા, શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળ્‍યો. ભગવાનના જયકારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. જૈન દેરાસરની 52મા વર્ષગાંઠ નિમિત્તે આયોજીત ધ્‍વજારોહણ કાર્યક્રમમાં મુખ્‍ય યજમાન સ્‍વ.મીનાક્ષીબેન ઘેવરચંદ લુણાવત, પ્રિયાબેન જયેશ કુમાર લુણાવત, વર્ષાબેન પંકજકુમાર લુણાવત અને દક્ષાબેન મહેન્‍દ્ર કુમાર લુણાવત સહિત સમાજના અગ્રણીઓની અધ્‍યક્ષતામાં આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સમાજ સેવક અને અગ્રણી શ્રી કૌશીલ શાહે જણાવ્‍યું હતું કે ધ્‍વજારોહણ કાર્યક્રમને દાદરા સંઘ દ્વારા હર્ષોલ્લાસ સાથે સફળ બનાવ્‍યો હતો. શ્રી કૌશીલ શાહે ઉપસ્‍થિત સર્વ સમાજનો પણ આભાર વ્‍યક્‍ત કરતા કહ્યું હતું કે આપણોવિસ્‍તાર ધાર્મિકતાનું પ્રતિક છે, જ્‍યાં દરેક ધર્મના લોકો સૌહાર્દના માહોલમા તહેવાર અને પર્વ મનાવે છે.

Related posts

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

ચીખલીના તાલુકાના થાલા ગામે ગુજરાત ગેસ દ્વારા જરૂરીયાત મુજબની મંજૂરી લઈ ચીખલીમાં સીએફ શાહ સીએનજી પંપને ઓનલાઈન ગેસ આપવા કામગીરી ચાલુ

vartmanpravah

દમણની સૌથી જૂની સંસ્‍થા ‘‘શ્રી દમણ જિલ્લા સહકારી ભંડાર”ની 61મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

vartmanpravah

Leave a Comment