April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: આજે દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જનસંપર્ક સંવાદ અને ‘દાદરા નગર હવેલી જોડો પદયાત્રા’ આંબોલી પંચાયતથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રા દરમ્‍યાન પ્રદેશના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે આગામી 7મી મે ના રોજ યોજાનાર ‘તારપા મહોત્‍સવ’ કાર્યક્રમમાં પણ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુ ટોકીયા, આંબોલી પંચાયતના યુવા સાથી શ્રી અવિનાશ ગોરાત, પ્રદેશ અધ્‍યક્ષ, સંયોજક, અધ્‍યક્ષ મંડળ સદસ્‍ય ગણ, મહિલા વિંગના અધ્‍યક્ષ, વિવિધ પંચાયતના જિલ્લા પ્રમુખ, નાનાસાહેબ, હારૂન સુમરા સહિત પરિસદના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા.

Related posts

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

દાનહની 108 એમ્‍બ્‍યુલન્‍સ ટીમ દ્વારા આશ્રમના બાળકો સાથે ‘બાળ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

આજે વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં શિક્ષક દિન ઉજવાશે

vartmanpravah

Leave a Comment