April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: આજે દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જનસંપર્ક સંવાદ અને ‘દાદરા નગર હવેલી જોડો પદયાત્રા’ આંબોલી પંચાયતથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રા દરમ્‍યાન પ્રદેશના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે આગામી 7મી મે ના રોજ યોજાનાર ‘તારપા મહોત્‍સવ’ કાર્યક્રમમાં પણ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુ ટોકીયા, આંબોલી પંચાયતના યુવા સાથી શ્રી અવિનાશ ગોરાત, પ્રદેશ અધ્‍યક્ષ, સંયોજક, અધ્‍યક્ષ મંડળ સદસ્‍ય ગણ, મહિલા વિંગના અધ્‍યક્ષ, વિવિધ પંચાયતના જિલ્લા પ્રમુખ, નાનાસાહેબ, હારૂન સુમરા સહિત પરિસદના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા.

Related posts

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

vartmanpravah

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

Leave a Comment