June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
આજે ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્‍યમાં કોરોના નિયંત્રણ સ્‍થિતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. જેમાં કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્‍યા હતા તે મુજબ આવતીકાલ તા.11 ફેબ્રુઆરીથી વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં હાલમાં અમલી રહેલ રાત્રી કરફયુ નાબૂદ કરવાનીકોર કમિટીએ જાહેરાત કરી છે. કોર કમિટીના નિર્ણયને ચોતરફ આવકાર મળી રહ્યો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં આરોગ્‍યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્‍ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્‍ય સચીવશ્રી પંકજકુમાર તેમજ અધિક મુખ્‍ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્‍ઠ સચિવો બેઠકમાં સહભાગી બનીને કોરોના સંક્રમણની સમીક્ષા કરાઈ હતી. જેમાં મહત્ત્વનો નિણ4ય એ લેવામાં આવ્‍યો હતો કે ફક્‍ત આઠ મહાનગરો તા.11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 5 વાગ્‍યા સુધી કરફયુ અમલમાં રહેશે. આ અગાઉ 27 નગર-મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કરફયુ અમલી હતો. અન્‍ય કોરોના ગાઈડલાઈન નવિન જાહેરનામુ બહાર પડાયું છે.

Related posts

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્‍ત કલેક્‍ટર નૈમેશ દવેનો સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah

Leave a Comment