April 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
આજે ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્‍યમાં કોરોના નિયંત્રણ સ્‍થિતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. જેમાં કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્‍યા હતા તે મુજબ આવતીકાલ તા.11 ફેબ્રુઆરીથી વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં હાલમાં અમલી રહેલ રાત્રી કરફયુ નાબૂદ કરવાનીકોર કમિટીએ જાહેરાત કરી છે. કોર કમિટીના નિર્ણયને ચોતરફ આવકાર મળી રહ્યો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં આરોગ્‍યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્‍ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્‍ય સચીવશ્રી પંકજકુમાર તેમજ અધિક મુખ્‍ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્‍ઠ સચિવો બેઠકમાં સહભાગી બનીને કોરોના સંક્રમણની સમીક્ષા કરાઈ હતી. જેમાં મહત્ત્વનો નિણ4ય એ લેવામાં આવ્‍યો હતો કે ફક્‍ત આઠ મહાનગરો તા.11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 5 વાગ્‍યા સુધી કરફયુ અમલમાં રહેશે. આ અગાઉ 27 નગર-મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કરફયુ અમલી હતો. અન્‍ય કોરોના ગાઈડલાઈન નવિન જાહેરનામુ બહાર પડાયું છે.

Related posts

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

વાપી ઈમરાન નગરમાં મોપેડ ઉપરથી 50 હજારની સિગારેટ ભરેલ થેલો ચોરી જનારા બે ઝડપાયા

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

દમણ ભાજપ કાર્યાલય પાસે ઝેરી કોબ્રાને સુરક્ષિત રીતે પકડતા ગુરૂ બોરિંગવાલા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

Leave a Comment