Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

સ્‍વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્‍ય વ્‍યક્‍તિએ ઈ.સ.1978માં સેલવાસમાં હોટલ માટે 0.03 હેક્‍ટર જમીન ભાડા પટ્ટે લીધી હતી જેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી વર્ષ 2004માં લોજના માલિકોને જમીન ખાલી કરવાનો નિર્દેશ અપાયેલો છતાંપણ જમીન ખાલી કરી ન હતી અને ઉલટું લોજ સંચાલકોએ વિવિધ મંચો ઉપર અપીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનાર કૈલાશ લોજ વિરુદ્ધહાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં હતી. તેના સંદર્ભમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા સેલવાસના કૈલાશ લોજને તેણે કબ્‍જાવેલી સરકારી જમીન ખાલી કરવાનો મહત્‍વનો આદેશ કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સ્‍વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્‍ય વ્‍યક્‍તિએ ઈ.સ.1978માં હોટલ માટે 0.03 હેક્‍ટર સેલવાસમા જગ્‍યા ભાડા પટ્ટા પર લીધી હતી જેનો કરાર પૂર્ણ થઈ ગયો હતો. ત્‍યારબાદ વર્ષ 2004માં લોજના માલિકોને જગ્‍યા ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છતાંપણ જગ્‍યા ખાલી કરી ન હતી અને લોજ ચલાવનાર માલિકોએ વિવિધ મંચો ઉપર અપીલ પણ કરી હતી. મુંબઈ હાઈકોર્ટે દાનહની સિવિલ કોર્ટને 5 જાન્‍યુઆરી સુધીમાં નિષ્‍કર્ષની પુષ્ટિ કરી કે અગર અરજદાર 10 ફેબ્રુઆરી સુધીમાં જમીન ખાલી નહીં કરે તો, એ જમીન ખાલી કરાવવા સ્‍વતંત્ર છે. હાઈકોર્ટની સુનાવણી દરમ્‍યાન જાણવા મળેલ કે સ્‍વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્‍ય વ્‍યક્‍તિએ અતિક્રમણને ખાલી કરતા રોકવા માટે કાનૂની મંચનો દુરૂપયોગ કર્યો હતો. તેથી મુંબઈ હાઈકોર્ટે 13 ફેબ્રુઆરી સુધીમાં અનુપાલન રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્‍યો છે.

Related posts

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્‍સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના

vartmanpravah

Leave a Comment