July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

સ્‍વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્‍ય વ્‍યક્‍તિએ ઈ.સ.1978માં સેલવાસમાં હોટલ માટે 0.03 હેક્‍ટર જમીન ભાડા પટ્ટે લીધી હતી જેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી વર્ષ 2004માં લોજના માલિકોને જમીન ખાલી કરવાનો નિર્દેશ અપાયેલો છતાંપણ જમીન ખાલી કરી ન હતી અને ઉલટું લોજ સંચાલકોએ વિવિધ મંચો ઉપર અપીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનાર કૈલાશ લોજ વિરુદ્ધહાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં હતી. તેના સંદર્ભમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા સેલવાસના કૈલાશ લોજને તેણે કબ્‍જાવેલી સરકારી જમીન ખાલી કરવાનો મહત્‍વનો આદેશ કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સ્‍વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્‍ય વ્‍યક્‍તિએ ઈ.સ.1978માં હોટલ માટે 0.03 હેક્‍ટર સેલવાસમા જગ્‍યા ભાડા પટ્ટા પર લીધી હતી જેનો કરાર પૂર્ણ થઈ ગયો હતો. ત્‍યારબાદ વર્ષ 2004માં લોજના માલિકોને જગ્‍યા ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છતાંપણ જગ્‍યા ખાલી કરી ન હતી અને લોજ ચલાવનાર માલિકોએ વિવિધ મંચો ઉપર અપીલ પણ કરી હતી. મુંબઈ હાઈકોર્ટે દાનહની સિવિલ કોર્ટને 5 જાન્‍યુઆરી સુધીમાં નિષ્‍કર્ષની પુષ્ટિ કરી કે અગર અરજદાર 10 ફેબ્રુઆરી સુધીમાં જમીન ખાલી નહીં કરે તો, એ જમીન ખાલી કરાવવા સ્‍વતંત્ર છે. હાઈકોર્ટની સુનાવણી દરમ્‍યાન જાણવા મળેલ કે સ્‍વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્‍ય વ્‍યક્‍તિએ અતિક્રમણને ખાલી કરતા રોકવા માટે કાનૂની મંચનો દુરૂપયોગ કર્યો હતો. તેથી મુંબઈ હાઈકોર્ટે 13 ફેબ્રુઆરી સુધીમાં અનુપાલન રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્‍યો છે.

Related posts

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

Leave a Comment