Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે

જિલ્લા કક્ષાની ઉજવણી ધરમપુર તાલુકાના વિલ્સન હિલ પર તા. ૬ મે ના રોજ થશે

જિલ્લામાંથી ૫૦૦૦ થી વધુ યુવાનો સહભાગી થઈ દેશના વિકાસ માટેના વિચારો રજૂ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G- 20 નું અધ્યક્ષ સ્થાન મળ્યું છે ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા વલસાડ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવેના નેતૃત્વમાં Y-20 Gujarat Talks (Y-20 ગુજરાત સંવાદ) કાર્યક્રમનું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના માધ્યમથી સમગ્ર રાજ્યમાં તથા સમગ્ર વલસાડ જિલ્લામાં આયોજન કરાયું છે. જેની શરૂઆત તા. ૨૮ એપ્રિલના રોજ અમદાવાદથી થઈ હતી.
એક મહિના સુધી સમગ્ર ગુજરાતમાં તથા આગામી તા. ૧ મે થી ૭ મે સુધી Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વલસાડ જિલ્લાની ૬ તાલુકા પંચાયત અને ૫ નગરપાલિકા મળી કુલ ૧૧ સ્થળ પર થશે. જેમાં વલસાડ જિલ્લાના ૫૦૦૦ થી વધુ યુવાનો સહભાગી થઈ દેશના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમમાં જોડવા માટે મો.નં. ૮૪૦૧૪૦૦૪૦૦ પર ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન લિંક આવશે જે ભરીને યુવાનો આ કાર્યક્રમમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમ ખુલ્લા મંચ પરથી કરવામાં આવશે.
વલસાડ જિલ્લાનો Y-20 Gujarat Talksનો પ્રથમ કાર્યક્રમ તા. ૧ મે ના રોજ વાપી KBS કોલેજ ખાતે યોજાશે. જે ક્રમશ તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં થશે. જિલ્લા કક્ષાનો વિશેષ ગુજરાત સંવાદ કાર્યક્રમ તા. ૬ મે ૨૦૨૩ને શનિવારે વલસાડ જિલ્લાના લોકપ્રિય પર્યટન સ્થળ વિલ્સન હીલ, ધરમપુર ખાતે યોજાશે. Y-20 ગુજરાત સંવાદના દરેક કાર્યક્રમમાં અલગ-અલગ પાંચ વિષયો પર યુવાનો સંવાદ કરશે. દરેક વિસ્તારના કાર્યક્રમના વિષય અલગ રહેશે. જે અંગે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ અને જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયાએ માહિતી આપતા જણાવ્યું કે, અલગ અલગ પાંચ વિષયમાં (૧) કાર્યનું ભવિષ્યઃ ઉદ્યોગ ૪.૦, ઈનોવેશન અને ૨૧મી સદીની કુશળતા, (૨) આબોહવા પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો, સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો, (૩) વહેંચાયેલુ ભવિષ્યઃ લોકશાહી અને શાસનમાં યુવા, (૪) શાંતિ નિર્માણ અને સમાધાનઃ યુધ્ધ ન થવાના યુગની શરૂઆત અને (૫) આરોગ્ય સુખાકારી અને રમત ગમતઃ યુવાનો માટે કાર્યસૂચિ વિષયનો સમાવેશ કરાયો છે. જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી દેશના વિકાસમાં પોતાના વિચારોનું યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં તા. ૧ થી ૭ મે સુધી આ સ્થળો પર સંવાદ કાર્યક્રમ થશે

 

Related posts

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

વાપી હાઈવે હોટલમાં પીધેલાઓએ બે ફૂટનો વરંડો તોડી બીએમડબલ્‍યુ કારને ઘૂસાડી દીધી

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

Leave a Comment