June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામની સંગમ સીટી સોસાયટીમાં રહેતા વેપારીનું એમના ઘરમાં ચક્કર આવી જતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વર સિંહ રાજપૂત (ઉ.વ.43) હાલ રહેવાસી સંગમ સીટી સોસાયટી- સામરવરણી, મૂળ રહેવાસી-રાજસ્‍થાન. જેઓ સેલવાસ કિલવણી નાકા નજીક હોરિઝોન હાઈટ્‍સમાં નવકાર ઈલેક્‍ટ્રીક નામની દુકાન ચલાવતા હતા. જેઓ સવારે દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે તેમને અચાનક ઉલ્‍ટી આવ્‍યા બાદ બાથરૂમની અંદર ચક્કર આવી જતાં પડી ગયા હતા. તેઓને તેમના પરિવારજનો તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ઘરમાં જ એમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં વેપારી આલમમાં શોકની લાગણી જોવા મળી હતી.

Related posts

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્‍યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને મહત્‍વપૂર્ણ બેઠક મળી

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

53 મહિનાની આકરી તપસ્‍યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્‍લાનર પી.પી.પરમારનું સસ્‍પેન્‍શન પરત ખેંચવાનો કરાયો આદેશ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

Leave a Comment