April 27, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામની સંગમ સીટી સોસાયટીમાં રહેતા વેપારીનું એમના ઘરમાં ચક્કર આવી જતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વર સિંહ રાજપૂત (ઉ.વ.43) હાલ રહેવાસી સંગમ સીટી સોસાયટી- સામરવરણી, મૂળ રહેવાસી-રાજસ્‍થાન. જેઓ સેલવાસ કિલવણી નાકા નજીક હોરિઝોન હાઈટ્‍સમાં નવકાર ઈલેક્‍ટ્રીક નામની દુકાન ચલાવતા હતા. જેઓ સવારે દુકાને જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે તેમને અચાનક ઉલ્‍ટી આવ્‍યા બાદ બાથરૂમની અંદર ચક્કર આવી જતાં પડી ગયા હતા. તેઓને તેમના પરિવારજનો તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ઘરમાં જ એમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં વેપારી આલમમાં શોકની લાગણી જોવા મળી હતી.

Related posts

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે રીંગણવાડા વિસ્‍તારમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment