March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

સાંસદ લાલુભાઈ પટેલે સ્‍વયં વિડીયો દ્વારા આ પ્રકારના તત્ત્વોને પોલીસમાં સુપ્રત કરવા ઉદ્યોગપતિઓને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નામ ઉપર કેટલાક અજ્ઞાત શખ્‍સો દ્વારા ઉદ્યોગપતિઓને ફોન કરી પૈસાની માંગણી કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્‍વયં સાંસદ શ્રી લાલુભાઈ પટેલને સ્‍પષ્‍ટતા કરી ચેતવણી આપવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે જારી કરેલ એક વિડીયોમાં ઉદ્યોગપતિઓને અપીલ કરતા જણાવ્‍યું છે કે, કેટલાક અસામાજિક તત્ત્વો તેમના નામનો ઉપયોગ કરી ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલી કરી રહ્યા છે. આવા લોકો તેમની છબી ખરાબ કરવાના ઈરાદાથી આવી હરકત કરી રહ્યા હોવાનું પણ સાંસદશ્રીએ જણાવ્‍યું છે.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રદેશના ઉદ્યોગપતિઓએ અપીલ કરતા જણાવ્‍યું છે કે, તેઓ કોઈને પણ તેમના નામ ઉપર પૈસા નહીં આપે અને આવી વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરે. શ્રી લાલુભાઈ પટેલે પોતાના જારી કરેલા વિડીયોમાં જણાવ્‍યું છે કે, તેમને કેટલીક કંપનીઓનાપ્રતિનિધિઓએ ફોન કરીને જણાવ્‍યું હતું કે, સાંસદશ્રીના નામ ઉપર કેટલાક લોકો મંદિર નિર્માણ માટે, મહાપ્રસાદ કે અન્‍ય ધાર્મિક કામો માટે દાનના સ્‍વરૂપે પૈસાની માંગણી કરી રહ્યા છે. કેટલીક કંપનીઓમાં ફોન કરી ઉદ્યોગપતિઓને જણાવવામાં આવે છે કે, હું લાલુભાઈ પટેલ બોલું છું અને તમારે આ મંદિરના નિર્માણ માટે દાન આપવાનું છે. આ પ્રકારની માંગણી સાંસદશ્રી દ્વારા ક્‍યારેય પણ કરાઈ નથી અને ભવિષ્‍યમાં પણ કરાશે નહીં. પરંતુ કેટલાક તત્ત્વો તેમની પ્રતિષ્‍ઠા ખરાબ કરવા માટે આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. તેથી તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે આવા કોઈપણ વ્‍યક્‍તિને કંપની પરિસરમાં બોલાવી પોલીસને સુપ્રત કરવામાં આવે.
અત્રે યાદ રહે કે, 2019માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્‍યારે પણ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આગળ આવી આવા લોકોને પોલીસને સોંપવા અપીલ કરી હતી અને સાંસદના નામ ઉપર વસૂલી કરવાની ઘટનામાં પાંચથી છ લોકોની ધરપકડ પણ કરાઈ હતી.

Related posts

રેવન્‍યુ શીરપડતર જમીન સાથણી ઝુંબેશ કાયમી ધોરણે નામે કરવા ધરમપુર વિસ્‍તારના 800 થી વધુ અરજદારોની કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની વેસ્‍ટનો ગેરકાયદે નિકાલ કરવામાં અગ્રેસરઃ તપાસનો વિષય

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

Leave a Comment