(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.30: ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ ટોકરખાડી ખાતેની સ્મશાન ભૂમિનું મકાન લાંબા સમયથી જર્જરિત હોય જે અચાનક તૂટી પડવાની ઘટના બની છે.
ઉમરગામતાલુકામાં સૌથી વધુ સ્મશાન ભૂમિ ધરાવતું ખતલવાડા ગામની ટોકર ખાડી ખાતે આવેલ સ્મશાન ભૂમિનો મકાન વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું. મકાન જૂનું થતા મકાન તોડી પાડી નવું બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે તેજ અરસામાં અચાનક મકાનનું છત તૂટી પડવાની ઘટના બની છે. જોકે આ સમયે સ્મશાન ભૂમિની અંદર કોઈપણ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાની કે નુકશાન થયેલ નથી.
કાટમાળ હટાવી પંચાયતને મળતી ગ્રાન્ટથી આયોજન કરી નવું મકાન બનાવવામાં આવશે તેમ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્રભાઈ માછીએ જણાવ્યું હતું.
Previous post