September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.30: ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ ટોકરખાડી ખાતેની સ્‍મશાન ભૂમિનું મકાન લાંબા સમયથી જર્જરિત હોય જે અચાનક તૂટી પડવાની ઘટના બની છે.
ઉમરગામતાલુકામાં સૌથી વધુ સ્‍મશાન ભૂમિ ધરાવતું ખતલવાડા ગામની ટોકર ખાડી ખાતે આવેલ સ્‍મશાન ભૂમિનો મકાન વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્‍યું હતું. મકાન જૂનું થતા મકાન તોડી પાડી નવું બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્‍નો ચાલી રહ્યા છે તેજ અરસામાં અચાનક મકાનનું છત તૂટી પડવાની ઘટના બની છે. જોકે આ સમયે સ્‍મશાન ભૂમિની અંદર કોઈપણ વ્‍યક્‍તિ ન હોવાથી કોઈ જાનહાની કે નુકશાન થયેલ નથી.
કાટમાળ હટાવી પંચાયતને મળતી ગ્રાન્‍ટથી આયોજન કરી નવું મકાન બનાવવામાં આવશે તેમ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્‍દ્રભાઈ માછીએ જણાવ્‍યું હતું.

Related posts

સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

Leave a Comment