October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.30: ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ ટોકરખાડી ખાતેની સ્‍મશાન ભૂમિનું મકાન લાંબા સમયથી જર્જરિત હોય જે અચાનક તૂટી પડવાની ઘટના બની છે.
ઉમરગામતાલુકામાં સૌથી વધુ સ્‍મશાન ભૂમિ ધરાવતું ખતલવાડા ગામની ટોકર ખાડી ખાતે આવેલ સ્‍મશાન ભૂમિનો મકાન વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્‍યું હતું. મકાન જૂનું થતા મકાન તોડી પાડી નવું બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્‍નો ચાલી રહ્યા છે તેજ અરસામાં અચાનક મકાનનું છત તૂટી પડવાની ઘટના બની છે. જોકે આ સમયે સ્‍મશાન ભૂમિની અંદર કોઈપણ વ્‍યક્‍તિ ન હોવાથી કોઈ જાનહાની કે નુકશાન થયેલ નથી.
કાટમાળ હટાવી પંચાયતને મળતી ગ્રાન્‍ટથી આયોજન કરી નવું મકાન બનાવવામાં આવશે તેમ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્‍દ્રભાઈ માછીએ જણાવ્‍યું હતું.

Related posts

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

vartmanpravah

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment