April 18, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

ગણેશ ઉત્સવ માટે જારી કરેલ માર્ગદર્શિકા મુજબ જ ઉજવણી કરવા કલેક્ટરનો આગ્રહ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.૦૬ઃ દીવ જિલ્લામાં ગણેશ મહોત્સવ દરમિયાન કોવિદ-૧૯ના ફેલાવાના રોકથામ અને સાર્વજનિક આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમજ સંક્રમણના જાખમને અટકાવવા માટે આજે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે ઍક ફોજદારી સંહિતા જારી કરી છે. ફોજદારી સંહિતાની ૧૯૭૩ની ધારા ૧૪૪ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, ગણેશ ઉત્સવ દરમિયાન ૧૦/૦૯/૨૦૨૧ થી ૨૦/૦૯/૨૦૨૧ સુધી પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.
દીવના જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કોવિદ-૧૯ ના ફેલાવાને રોકવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન સામાજિક અંતર જાળવવું પડશે અને જારી કરેલી માર્ગદર્શિકાનું સખત પાલન કરવું ફરજિયાત રહેશે. જાહેર સ્થળોઍ માત્ર ચાર ફૂટ ઊંચી જ ગણેશ મૂર્તિઓ અને ઘરમાં બે ફૂટ ઊંચી ગણેશ મૂર્તિઓની મંજૂરી છે.
ભક્તોને દર્શન માટે ઍક જ લાઇનમાં ચાલવાની છૂટ આપવામાં આવશે અને ૧૫ થી વધુ વ્યક્તિઓને કોઈપણ સમયે મંદિર/જાહેર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી હોવી જોઈઍ નહીં.
દર્શન દરમિયાન, સુનિડ્ઢિત કરવાનું રહેશે કે મુલાકાતીઓ વચ્ચે બે ફૂટનું અંતર જાળવવામાં આવે કે નહીં. જાહેર ગણેશોત્સવ સ્થળો પર માત્ર પ્રાર્થના-આરતી અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યોને મંજૂરી આપવામાં આવશે અને આ તમામ વિધિઓ રાત્રે ૦૯.૩૦ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે નહીં.
પંડાલ બેઠક અને સરઘસ માટે કોઈ અલગ ગણેશ ઉત્સવ/પંડાલ ઉભા કરવા પડશે નહીં. મૂર્તિ વિસર્જન દરમિયાન ૫ થી વધુ લોકોને મૂર્તિને જળાશયોમાં લઈ જવાની મંજૂરી નથી. વિસર્જન દરમિયાન ઉપરોક્ત તમામ વ્યક્તિઓના કોવિદ-૧૯ નું રસીકરણ થયેલું હોવુ઼ જાઈઍ. તહેવારોની પ્રવૃત્તિઓ દરમિયાન માસ્ક, થર્મલ સ્ક્રિનિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ સુનિડ્ઢિત કરવો પડશે.
સમગ્ર તહેવારના સમયગાળા દરમિયાન ડીજે/લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah

Leave a Comment