March 3, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

ગણેશ ઉત્સવ માટે જારી કરેલ માર્ગદર્શિકા મુજબ જ ઉજવણી કરવા કલેક્ટરનો આગ્રહ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.૦૬ઃ દીવ જિલ્લામાં ગણેશ મહોત્સવ દરમિયાન કોવિદ-૧૯ના ફેલાવાના રોકથામ અને સાર્વજનિક આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમજ સંક્રમણના જાખમને અટકાવવા માટે આજે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે ઍક ફોજદારી સંહિતા જારી કરી છે. ફોજદારી સંહિતાની ૧૯૭૩ની ધારા ૧૪૪ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, ગણેશ ઉત્સવ દરમિયાન ૧૦/૦૯/૨૦૨૧ થી ૨૦/૦૯/૨૦૨૧ સુધી પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.
દીવના જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કોવિદ-૧૯ ના ફેલાવાને રોકવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન સામાજિક અંતર જાળવવું પડશે અને જારી કરેલી માર્ગદર્શિકાનું સખત પાલન કરવું ફરજિયાત રહેશે. જાહેર સ્થળોઍ માત્ર ચાર ફૂટ ઊંચી જ ગણેશ મૂર્તિઓ અને ઘરમાં બે ફૂટ ઊંચી ગણેશ મૂર્તિઓની મંજૂરી છે.
ભક્તોને દર્શન માટે ઍક જ લાઇનમાં ચાલવાની છૂટ આપવામાં આવશે અને ૧૫ થી વધુ વ્યક્તિઓને કોઈપણ સમયે મંદિર/જાહેર સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી હોવી જોઈઍ નહીં.
દર્શન દરમિયાન, સુનિડ્ઢિત કરવાનું રહેશે કે મુલાકાતીઓ વચ્ચે બે ફૂટનું અંતર જાળવવામાં આવે કે નહીં. જાહેર ગણેશોત્સવ સ્થળો પર માત્ર પ્રાર્થના-આરતી અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યોને મંજૂરી આપવામાં આવશે અને આ તમામ વિધિઓ રાત્રે ૦૯.૩૦ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે નહીં.
પંડાલ બેઠક અને સરઘસ માટે કોઈ અલગ ગણેશ ઉત્સવ/પંડાલ ઉભા કરવા પડશે નહીં. મૂર્તિ વિસર્જન દરમિયાન ૫ થી વધુ લોકોને મૂર્તિને જળાશયોમાં લઈ જવાની મંજૂરી નથી. વિસર્જન દરમિયાન ઉપરોક્ત તમામ વ્યક્તિઓના કોવિદ-૧૯ નું રસીકરણ થયેલું હોવુ઼ જાઈઍ. તહેવારોની પ્રવૃત્તિઓ દરમિયાન માસ્ક, થર્મલ સ્ક્રિનિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ સુનિડ્ઢિત કરવો પડશે.
સમગ્ર તહેવારના સમયગાળા દરમિયાન ડીજે/લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

vartmanpravah

Leave a Comment