Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

પશ્ચિમ બંગાળથી યુવતીનું અપહરણ કરી વાપીના છીરીમાં દેહ વેપાર કરાવાતો હતો, ડુંગરા પોલીસે બચાવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વાપીમાં ડુંગરા પોલીસે હિંસાનો ભોગ બનેલી એક યુવતીને દેહ વેપારના ચુંગલમાંથી છોડાવી તા.૨૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧ કલાકે વલસાડની સિવિલ હોસ્પિટલના બ્લોક નં. ૨માં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી હતી. જ્યાં તેને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવ્યો હતો. તે સમયે યુવતી ક્યાંની છે તેની કોઈ ખબર ન હતી. બાદમાં સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે કાઉન્સેલિંગ કરતા તેણી ગામ-પરશાહપુર કલના જિ.પૂર્વ વર્ધમાન,રાજય-પશ્વિમ બંગાળના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું પશ્વિમ બંગાળ થી અપહરણ કરી વાપીના છીરી ખાતે લાવી દેહવેપાર કરાવાતો હતો.
સખી વન સ્ટોપના સ્ટાફે તેનુ સરનામુ મેળવવા અને પરિવારજનોની શોધખોળ કરવા માટે કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતું પરંતુ તેણી પશ્ચિમ બંગાળની ભાષા બોલતી હતી. ગુજરાતી ભાષા જાણતી ન હતી. હિન્દી ભાષા થોડી ઘણી સમજી શકતી હતી. જેથી અવર નવર કાઉન્સેલિંગ કરાતા પિતાનો ટેલિફોન નંબર આપ્યો હતો. જે નંબર પર ફોન કરી પિતાને વલસાડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. પિતાએ પશ્વિમ બંગાળના કલના પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. તા. ૨૭/૦૪/૨૦૨૩ ના રોજ વાપીની ડુંગરા પોલીસ અને કલના પોલીસ સાથે મળી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યુવતીને લેવા આવી હતી. યુવતીના પિતાના જરૂરી આધાર પુરાવાની તપાસ કર્યા બાદ યુવતીનું પિતા સાથે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. યુવતી સેન્ટર ખાતે આવી હતી ત્યારે ખુબ જ હતાશ અને માનસિક રીતે ભાંગી પડી હતી. યુવતીને સેન્ટર દ્વારા ચા-નાસ્તો, ભોજન તથા પ્રાથમિક જરુરિયાતો પુરી પાડવામાં આવી હતી. યુવતીએ પિતા તેમજ કલના પોલીસ સમક્ષ જણાવ્યું કે, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર વલસાડ ખાતે મને ઘર કરતાં પણ વધુ પ્રેમ અને હૂંફ મળી અને યોગ્ય માર્ગદર્શન આપી પરિવાર સાથે મિલન કરાવી નવી જિંદગી જીવવાની તક આપી છે. જે બદલ યુવતી અને તેના પિતાએ સખી વન સ્ટોપ સેન્ટર નો આભાર માન્યો હતો.
આમ, વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ ખાતે યુવતીને આશ્રય સેવા અને કાઉન્સેલિંગની સેવા આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

Related posts

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah

Leave a Comment