(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: તાજેતરમાં નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર પાણી ભરાવવાથી મુશ્કેલીઓ સર્જાય હતી. નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં ખેતી કરતાં ખેડૂતોના પાકોનું ભારે નુકશાન થયું છે.
જે અન્વયે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના નેજા હેઠળ તાત્કાલિક પાક નુકશાનીનો સર્વે હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેથી અધિકારીઓ/કર્મચારીઓ પોતાના વિસ્તારના ગામોમાં જઇ પાક નુકશાન પામેલા ખેડૂતોની જાતમુલાકાત લેવામાં આવી રહી છે. સર્વે થયા બાદ રાજય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને પાક નુકશાનમાં થયેલી આફતમાં આ સહાયથી ખૂબ જ રાહત મળશે.