(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૨: સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીઍસઈ) દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં વાપી છરવાડા સ્થિત ‘‘શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર’’નું સીબીઍસઈનું ધોરણ ૧૦માં મોનિકા કુમાવત ૮૧.૩૩ ટકા, કિરન મલિક ૭૮.૮૩ ટકા વંદના રાજપુત ૭૫.૮૩ ટકા જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કરણ ગીરાસે ૬૯.૨ ટકા, દેવકુમાર ચૌધરી ૬૮.૮ ટકા, અરિહંત રાજકુમાર બોથરા ૬૩.૪ ટકા ઉત્તિર્ણ થયા છે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કાજલ જયપ્રકાશ નિષાદ ૮૩.૬ ટકા, લિનાબા નરેન્દ્રસિંહ રાઠોડ ૭૧.૬ ટકા, કૃષ્ણના બાલુ કાકડે ૬૮.૬ ટકા ઉત્તિર્ણ થયા છે. વિદ્યાર્થીઓફની સિધ્ધિ બદલ શાળાના ચેરમેન હિમ્મતસિંહજી જાડેજા, શાળાના પ્રિન્સિપાલ ડો.રાજેશ્વરી જાડેજા, શાળાના કાઉન્સિલર શ્રીમતી ભારતીબા જાડેજા તેમજ શાળાના શિક્ષકગણોઍ વિદ્યાર્થીઓફને અભિનંદન પાઠવ્યા હતા.