March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા સિવાય પણ મનુષ્યની અંદર વસતા ભગવાનના કારણે જ માનવનું ગૌરવ છે, તેજ ખરૂં મનુષ્ય ગૌરવ છેઃ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

પ્રભુ અત્યંત પ્રેમથી મારું શરીર ચલાવે આ પાઠ ઘૂંટવા માટે ત્રિકાળ સંધ્યા છેઃ
પૂજનીય દીદીજી

દક્ષિણ ગુજરાતમાં જ ૪૦,૦૦૦ થી પણ વધુ સ્વાધ્યાય ભાઈ-બહેનો મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરીમાં નિકળ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વિશ્વના લાખો સ્વાધ્યાયીઓ ઓક્ટોબર મહિનો આવે ત્યારે સવિશેષ ભાવની લાગણી અનુભવતા હોય છે કારણ ૧૯ ઓક્ટોબર એટલે લાખો લોકોને જીવન દૃષ્ટિ આપનાર યુગપુરુષ પરમ પૂજનીય દાદાજી (પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી)નો જન્મદિવસ, સમગ્ર સ્વાધ્યાય પરિવાર ૧૯-ઓક્ટોબર ‘‘મનુષ્ય ગૌરવ દિન’’ તરીકે ઉજવે છે.
પૂ. દાદાજીએ ત્રિકાળ સંધ્યા દ્વારા સમજાવ્યું કે, ભગવાન કેવળ આકાશમાં નથી કે મંદિરમાં નથી, એ મારી અંદર આવીને બેઠો છે, એટલું જ નહિ તે ભગવાન જ મારું જીવન ચલાવે છે. તેથી સમગ્ર ‘‘સ્વાધ્યાય પરિવાર’’ ભગવાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દાદાજીએ સમજાવેલ ત્રિકાળ સંધ્યા દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી દૈવી સંબંધ લઈને જાય છે.
પ્રભુ અત્યંત પ્રેમથી મારું શરીર ચલાવે આ પાઠ ઘૂંટવા માટે ત્રિકાળ સંધ્યા છેઃ પૂજનીય દીદીજી
આ પાઠ પાકો થતાં જ ‘‘મારામાં રામ મારું ગૌરવ, તારામાં રામ તારું ગૌરવ અને સૌમાં રામ સૌનું ગૌરવનો વિચાર સમાજમાં પ્રસ્થાપિત થાય છે. આજના સાંપ્રત કાળમાં જ્યારે મનુષ્યની ઓળખ મનુષ્ય તરીકે નહિ પરંતુ તેની પાસે રહેલ પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા થકી જ થાય છે ત્યારે, પરમ પૂજનીય દાદાજીએ આપેલી વિશિષ્ટ સમજણ કે જા મારામાં ભગવાન વસતો હોય તો હું દિન, હીન કે લાચાર કેવી રીતે રહી શકું? આ વિચારથી માનવ આત્મગૌરવ અને પર સમ્માનની લાગણી અનુભવે છે.
લાખો સ્વાધ્યાયીઓ પરમ પૂજનીય દાદાજીને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરવા મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરી દ્વારા દાયકાઓથી નિયમિત રીતે પોતાના ઘરનો ઉંબરો ઓળંગી, પોતાનું ટાઈમ, ટિકિટ અને ટિફિન લઇ ગામે-ગામ માનવ-માનવને મળવા જાય છે અને પ્રભુનું સામીપ્ય, સાનિધ્ય, સંબંધ અને સામર્થ્ય બુદ્ધિમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે.
વૈશ્વિક સ્વાધ્યાય કાર્યની ધુરા સાંભળનાર પરમ પૂજનીય દીદીજી (જયશ્રી તલવલકર)ના માર્ગદર્શન હેઠળ ૩૭ દેશોના લાખો સ્વાધ્યાયી કૃતિશીલોઆ વર્ષે પણ તા.૧૩ થી ૧૯ ઓક્ટોબર દરમ્યાન નિસ્વાર્થ ભાવે ભક્તિફેરીમાં નીકળ્યા છે. ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ ૪૦,૦૦૦ થી પણ વધુ સ્વાધ્યાય ભાઈ-બહેનો મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરીમાં કોઈ પણ અપેક્ષા વિના માત્ર પ્રભુ કાર્યાર્થે નિકળી લગભગ ૫૦ લાખથી વધુ ભાઈ-બહેનો પાસે માનવ-માનવ વચ્ચેનો દૈવી સંબંધ લઈને જશે અને પારિવારિક રીતે મળશે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

Leave a Comment