Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં મરચાની ખેતીમાં જીવાત મુદ્દે બાગાયત ખાતાની ટીમે તપાસ કરી ખેડૂતોને સૂચનો કર્યા

બ્‍લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતોઃ નાયબ બાગાયત નિયામક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ઉમરગામ તાલુકામાં મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ જીવાતના ઉપદ્રવની તપાસ માટે વલસાડ જિલ્લા બાગાયત ખાતાની કચેરીના અધિકારીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા. ત્‍યાં મરચાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની સ્‍થળ મુલાકાત દરમ્‍યાન મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતો તેમ છતાં ખેડૂતોને મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટેના પગલાં જણાવ્‍યા હતા.
નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને જણાવ્‍યું કે, અન્‍ય શાકભાજી પાક સાથે પાકની ફેરબદલી કરવી જેનાથી જીવાંત કાયમી રહેણાંક થાય નહી. ગલગોટા કે અગાથીનું આંતરપાકમાં વાવેતર કરવું. વધારે પ્રમાણમાં ઉપદ્રવ જણાય ત્‍યારે પીળાઅને સફેદ સ્‍ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો. નીમ ઓઈલ 1000 પીપીએમ (2 મીલી/લી.)નો છંટકાવ કરવો. સંકલિત જીવાત પોષણ વ્‍યવસ્‍થાપનનો ઉપયોગ કરવો અને કળષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મરચાની ફૂલ અવસ્‍થાએ સ્‍પાયનેટોરમ (10 મીલી/10 લી) અથવા ટોલફેન પાયરાઈસ 15 ઈસી 20 મીલી/10 લી. અસરકારક નિયંત્રણ માટે છંટકાવ કરવો. આમ રોગ જીવાતના નિયંત્રણ માટે ઉપર જણાવેલા પગલા લઈ ખેડૂતો મરચાની ખેતીમાં શરૂઆતથી જ કાળજી લઈ શકે છે એવું વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

Leave a Comment