March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

ચેકડેમો પાણી વિના શોભાના ગાઠિયા સમાન સાબિત થયાઃ ચેકડેમોમાં એક ટીપુ પણ પાણી જોવા મળતું નથીઃ લોકો અને ખેડૂતો પાણી વિના ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકામાં બનાવેલા અસંખ્‍ય ચેકડેમોમાં એક ટીપું પાણી જેવા મળતું નથી. ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. ઘણા ચેકડેમો ખંડેર, જર્જરિત અને બિસ્‍માર હાલતમાં છે.
કપરાડા અને ધરમપુરના તાલુકાના આદિવાસી લોકોને પીવાનું પાણી મળી રહે. સિંચાઈના પાણી મળીરહે તે હેતુથી સરકાર દ્વારા અસંખ્‍ય ચેકડેમો કરોડોના રૂપિયાના બનાવેલા છે. તેમાંના ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. અને પાણીનો સંગ્રહ કરવાને યોગ્‍ય નથી ? તેવા ચેકડેમોમાં એક ટીપું પાણી જોવા મળતું નથી. અત્‍યારે સૂર્ય નારાયણે રોદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. અને પુષ્‍કળ પ્રમાણમાં ગરમી પડે છે. તેવા સમયમાં પાણીના લોકોને ફાંફા પડી રહ્યા છે. જળ સંકટ શરૂ થઈ ગયું છે. લોકો અને ખેડૂતો પાણી વિના ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ત્‍યારે આ ચેકડેમો પાણી વિનાના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી ખેડૂતોને મળી રહ્યા નથી.? પાણી વિના ખેડૂતોની દયનીય હાલત બની છે. કફોડી હાલત બની છે. ઘણા ચેકડેમો કોન્‍ટ્રાકટર દ્વારા ભષ્‍ટ્રાચાર આચરીને ગુણવત્તા વિહોણી નિમ્‍ન સ્‍તરીય કામગીરી કરીને બોગસ મટીરીયલ વાપરીને બનાવેલા ચેકડેમો તહસનહસ થઈ ગયા છે. ખંડેર હાલતમાં છે. બિસ્‍માર હાલતમાં છે. ભંગાર હાલતમાં છે. જર્જરિત હાલતમાં છે. ચેકડેમો તૂટી ગયા છે. સરકારનો ચેકડેમોનો ખર્ચ પાણીમાં ગયો છે. જેની તપાસ થાય એવી લોકોએ માંગણી કરી છે. મહત્‍વની વાત એ છે કે ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. તેની સાફ્‌-સફાઈ કરીને ઊંડા કરવામાં આવે એવી ખેડૂતોએ માંગણી કરીછે.
ચેકડેમ પાછળ કરેલો ખર્ચ વ્‍યર્થ નિવડયો કપરાડા અને ધરમપુર તાલુકામાં જંગલ ખાતાની વન વિભાગ દ્વારા ડુંગરોમાં બનાવેલા ચેકડેમો પાણી વિનાના શોભાના ગાંઠીયા સમાન સાબિત થયા છે. પાણી વિના સુક્કા ભઠ્ઠ ભાસે છે. તાલુકામાં જંગલ ખાતાની રેન્‍જ દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો પાણી વિનાના નિરર્થક સાબિત થયા છે. ચેકડેમોનો ખર્ચ પાણીમાં ગયો છે.

કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્‍તારમાં જળસંકટ

કપરાડા અને ધરમપુર તાલુકામાં ચેકડેમોમાં પાણી ન હોવાથી જમીનમાં પાણીના સ્‍તર ખૂબ ઉંડે જતા રહ્યા છે. તેને કારણે કુવામાં, બોરમાં, હેન્‍ડ પંપમાં પાણી ખૂટી ગયા છે. પાણી ઊંડે જતા રહ્યા છે. અને જળ સંકટ ઉભું થયું છે. પાણી વિના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

Related posts

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈઃ તા.4-5 નવેમ્‍બરે પ્રશિક્ષણ વર્ગ યોજશે

vartmanpravah

Leave a Comment