October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

ચેકડેમો પાણી વિના શોભાના ગાઠિયા સમાન સાબિત થયાઃ ચેકડેમોમાં એક ટીપુ પણ પાણી જોવા મળતું નથીઃ લોકો અને ખેડૂતો પાણી વિના ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકામાં બનાવેલા અસંખ્‍ય ચેકડેમોમાં એક ટીપું પાણી જેવા મળતું નથી. ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. ઘણા ચેકડેમો ખંડેર, જર્જરિત અને બિસ્‍માર હાલતમાં છે.
કપરાડા અને ધરમપુરના તાલુકાના આદિવાસી લોકોને પીવાનું પાણી મળી રહે. સિંચાઈના પાણી મળીરહે તે હેતુથી સરકાર દ્વારા અસંખ્‍ય ચેકડેમો કરોડોના રૂપિયાના બનાવેલા છે. તેમાંના ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. અને પાણીનો સંગ્રહ કરવાને યોગ્‍ય નથી ? તેવા ચેકડેમોમાં એક ટીપું પાણી જોવા મળતું નથી. અત્‍યારે સૂર્ય નારાયણે રોદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું છે. અને પુષ્‍કળ પ્રમાણમાં ગરમી પડે છે. તેવા સમયમાં પાણીના લોકોને ફાંફા પડી રહ્યા છે. જળ સંકટ શરૂ થઈ ગયું છે. લોકો અને ખેડૂતો પાણી વિના ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ત્‍યારે આ ચેકડેમો પાણી વિનાના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી ખેડૂતોને મળી રહ્યા નથી.? પાણી વિના ખેડૂતોની દયનીય હાલત બની છે. કફોડી હાલત બની છે. ઘણા ચેકડેમો કોન્‍ટ્રાકટર દ્વારા ભષ્‍ટ્રાચાર આચરીને ગુણવત્તા વિહોણી નિમ્‍ન સ્‍તરીય કામગીરી કરીને બોગસ મટીરીયલ વાપરીને બનાવેલા ચેકડેમો તહસનહસ થઈ ગયા છે. ખંડેર હાલતમાં છે. બિસ્‍માર હાલતમાં છે. ભંગાર હાલતમાં છે. જર્જરિત હાલતમાં છે. ચેકડેમો તૂટી ગયા છે. સરકારનો ચેકડેમોનો ખર્ચ પાણીમાં ગયો છે. જેની તપાસ થાય એવી લોકોએ માંગણી કરી છે. મહત્‍વની વાત એ છે કે ઘણા ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે. તેની સાફ્‌-સફાઈ કરીને ઊંડા કરવામાં આવે એવી ખેડૂતોએ માંગણી કરીછે.
ચેકડેમ પાછળ કરેલો ખર્ચ વ્‍યર્થ નિવડયો કપરાડા અને ધરમપુર તાલુકામાં જંગલ ખાતાની વન વિભાગ દ્વારા ડુંગરોમાં બનાવેલા ચેકડેમો પાણી વિનાના શોભાના ગાંઠીયા સમાન સાબિત થયા છે. પાણી વિના સુક્કા ભઠ્ઠ ભાસે છે. તાલુકામાં જંગલ ખાતાની રેન્‍જ દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો પાણી વિનાના નિરર્થક સાબિત થયા છે. ચેકડેમોનો ખર્ચ પાણીમાં ગયો છે.

કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્‍તારમાં જળસંકટ

કપરાડા અને ધરમપુર તાલુકામાં ચેકડેમોમાં પાણી ન હોવાથી જમીનમાં પાણીના સ્‍તર ખૂબ ઉંડે જતા રહ્યા છે. તેને કારણે કુવામાં, બોરમાં, હેન્‍ડ પંપમાં પાણી ખૂટી ગયા છે. પાણી ઊંડે જતા રહ્યા છે. અને જળ સંકટ ઉભું થયું છે. પાણી વિના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

Related posts

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

vartmanpravah

છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા

vartmanpravah

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

Leave a Comment