October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

રાજ્‍ય સભા સાંસદ માયાસિંહ મુંબઈ, લીલાવતી હોસ્‍પિ. કીડની ડો.અરૂણ શાહ તથા ભાગવતાચાર્ય શરદભાઈ વ્‍યાસનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ધરમપુર બરૂમાળ ભાવભાવેશ્વર ધામમાં સમાજની વિશિષ્‍ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો. સાથે સાથે રવિવારે લક્ષચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું.
બરૂમાળ ભાવભાવેશ્વરધામમાં યોજાયેલ સન્‍માન સમારોહમાં મધ્‍યપ્રદેશ પૂર્વ મહિલા બાલ કલ્‍યાણમંત્રી અને રાજ્‍ય સભાના સાંસદ શ્રીમતિ માયાસિંહ મુંબઈ, મુંબઈ લીલાવતી હોસ્‍પિટલના કિડની સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો.અરૂણસિંહ, ભાગવત આચાર્ય શરદભાઈ વ્‍યાસ, ઓરિસ્‍સાના ઉદ્યોગપતિ સમાજ સેવક રાજકુમાર દાધીચ, વલસાડ જિલ્લા આર.એસ.એસ. સંઘ સંચાલક મહેશભાઈ પટેલ, કાંજવી જયપુરના સંગીતાચાર્ય મહેશ દાધીચ, વડોદરાના આધ્‍યાત્‍મિક સાહિત્‍યકાર શ્‍યામજી ઉપાધ્‍યાય, મોટાપોંઢાના નિવૃત્ત તાલુકા અધિકારી કે.કે. પટેલ, જેવા મહાનુભાવોનું રૂા.50,000 ધન રાસી અને સાલ ઓઢાડી સંસ્‍થાપક મહામંડલેશ્વર સ્‍વામિ વિદ્યાનંદ સરસ્‍વતિના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મહાનુભાવોના કાર્યોના લોકોને પરિચિત કરાયા હતા. ગ્‍વાલિયર રાજ પરિવારથી જોડાયેલ માયાસિંહએ જણાવ્‍યું હતું કે, સંતોના હસ્‍તે સન્‍માનિત થવું ગૌરવની વાત છે. સમારંભમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી પણ સંબોધન કર્યું હતું. ખરાબ હવામાનને લઈ સી.આર. પાટીલનું હેલીકોપ્‍ટર પહોંચી શક્‍યું નહોતું. તેની ક્ષમા યાચના કરી હતી. સાંસદ ધવલ પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, ધારાસભ્‍ય પાટકર જેવા અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્‍ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

Leave a Comment