January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

રાજ્‍ય સભા સાંસદ માયાસિંહ મુંબઈ, લીલાવતી હોસ્‍પિ. કીડની ડો.અરૂણ શાહ તથા ભાગવતાચાર્ય શરદભાઈ વ્‍યાસનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ધરમપુર બરૂમાળ ભાવભાવેશ્વર ધામમાં સમાજની વિશિષ્‍ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો. સાથે સાથે રવિવારે લક્ષચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું.
બરૂમાળ ભાવભાવેશ્વરધામમાં યોજાયેલ સન્‍માન સમારોહમાં મધ્‍યપ્રદેશ પૂર્વ મહિલા બાલ કલ્‍યાણમંત્રી અને રાજ્‍ય સભાના સાંસદ શ્રીમતિ માયાસિંહ મુંબઈ, મુંબઈ લીલાવતી હોસ્‍પિટલના કિડની સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો.અરૂણસિંહ, ભાગવત આચાર્ય શરદભાઈ વ્‍યાસ, ઓરિસ્‍સાના ઉદ્યોગપતિ સમાજ સેવક રાજકુમાર દાધીચ, વલસાડ જિલ્લા આર.એસ.એસ. સંઘ સંચાલક મહેશભાઈ પટેલ, કાંજવી જયપુરના સંગીતાચાર્ય મહેશ દાધીચ, વડોદરાના આધ્‍યાત્‍મિક સાહિત્‍યકાર શ્‍યામજી ઉપાધ્‍યાય, મોટાપોંઢાના નિવૃત્ત તાલુકા અધિકારી કે.કે. પટેલ, જેવા મહાનુભાવોનું રૂા.50,000 ધન રાસી અને સાલ ઓઢાડી સંસ્‍થાપક મહામંડલેશ્વર સ્‍વામિ વિદ્યાનંદ સરસ્‍વતિના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મહાનુભાવોના કાર્યોના લોકોને પરિચિત કરાયા હતા. ગ્‍વાલિયર રાજ પરિવારથી જોડાયેલ માયાસિંહએ જણાવ્‍યું હતું કે, સંતોના હસ્‍તે સન્‍માનિત થવું ગૌરવની વાત છે. સમારંભમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી પણ સંબોધન કર્યું હતું. ખરાબ હવામાનને લઈ સી.આર. પાટીલનું હેલીકોપ્‍ટર પહોંચી શક્‍યું નહોતું. તેની ક્ષમા યાચના કરી હતી. સાંસદ ધવલ પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, ધારાસભ્‍ય પાટકર જેવા અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

સામાજિક વ્‍યવહાર પરિવર્તન દ્વારા આરોગ્‍યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડ જિલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે સી.એચ.ઓ.ને તાલીમ અપાઈ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

Leave a Comment